SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-સંજ્ઞા મંતે ! વોnઢચિવાણા વાર્ષિ બન્નચિકાશvgહિં જુદા ?” હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ગન્નાસેવ સંકળ (દુહવા, વોરપા તેવ પંજાળot સુકવણvi ” ગૌતમ ! પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા તે સંખ્યાતના બમણા કરતાં બે અધિક પ્રદેશ વડે પૃષ્ટ થાય છે અને વધારેમાં વધારે તે સંખ્યાતના પાંચ ગણા કરતાં બે અધિક પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરી શકાય-ધારો કે વીસ પ્રદેશિક એક સ્કંધ લોકાન્તમાં એક પ્રદેશમાં રહેલું છે. પૂર્વોક્ત નિયમતાનુસાર એવું માનવું જોઈએ કે તે લેકના ૨૦ પ્રદેશમાં અવગાઢ (રહેલે) છે તેથી જ્યાં તે રહેલે છે ત્યાંના તે ૨૦ પ્રદેશ દ્વારા, તથા એજ નયમતાનુસાર પિતાના ઉપરિતન અથવા અધસ્તન ૨૦ પ્રદેશ દ્વારા અને આજુબાજુના બે પ્રદેશ દ્વારા, આ રીતે ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૪૨ પ્રદેશો વડે પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશે જઘન્યપદમાં પૃષ્ટ થાય છે. તે વાત તે પહેલાં સ્પષ્ટ કરવામાં આવી છે કે જઘન્યપદમાં આવેલા પ્રદેશોના બમણું કરીને ગુણાકારમાં બે ઉમેરવાથી સ્પર્શકના પ્રદેશે જાણી શકાય છે. અહીં પુસ્લાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ–૨૦ પ્રદેશ-જઘન્ય પદ્યમાં લેવામાં આવ્યા છે. તેના બમણું કરવાથી ૪૦ આવે છે. પછી ૪૦ માં બે ઉમેરવાથી ૪૨ આવે છે. એટલે કે ૨૦ પ્રદેશેવાળે કંધ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૪૨ પ્રદેશો વડે સ્પષ્ટ થાય છે. સંખ્યાત પ્રદેશવાળા સ્કંધ-ધારે કે ૨૦ પ્રદેશવાળા સ્કંધ ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૦૨ પ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-પુદ્ગલાસ્તિકાયના પ્રદેશના પાંચ ગણો કરી ગુણાકારમાં બે ઉમેરવાથી વધારેમાં વધારે પૃષ્ટ પ્રદેશોની સંખ્યા આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-ઉત્કૃષ્ટ પદમાં ૨૦ સંખ્યા પ્રમાણ સંપાત પરમાણુવાળ પગલાસ્તિકાયરૂપ ધ સ્વાભાવિક ૨૦ અવગાઢ પ્રદેશે દ્વારા, ૨૦ નીચેના પ્રદેશ દ્વારા, ૨૦ ઉપરના પ્રદેશ દ્વારા, અને ૨૦-૨૦ પપશ્ચિમની પાસેના પ્રદેશ દ્વારા અને દક્ષિણઉત્તર તરફના બે પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન– વહિં કરિયાપાર્દિ ?” હે ભગવન ! કેટલા અધર્માસ્તિકાય પ્રદેશ વડે સંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ પ્રુષ્ટ થાય છે? મહાવીર પ્રભને ઉત્તર-“ઘર્ષ વેર” હે ગૌતમ ! પૂર્વોક્ત ધર્માસ્તિકાય પ્રદેશોની જેમ જ ઓછા માં ઓછા તે સંખ્યાત કરતાં બે અધિક અધર્મા. સ્તિકાયપ્રદેશ વડે તથા વધારેમાં વધારે તે સંખ્યાત કરતાં પાંચ ગણું કરતાં બે અધિક અધર્માસ્તિકાય પ્રદેશ વડે તે સંખ્યાત પ્રદેશવાળું પુદ્ગલાસ્તિકાય પૂર્ણ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૪
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy