SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ ! ૧૨ આકાશાસ્તિકાય પ્રદેશ દ્વારા બે પુતલાસ્તિકાયપ્રદેશે સ્પષ્ટ થાય છે. અહીં જઘન્ય પદને અભાવ સમજ, કારણ કે લોકાન્તમાં પણ આકાશપ્રદેશનો સદુભાવ છે. તેથી જ અહીં કેવળ ૧૨ પ્રદેશ વડે જ પર્શના કહેવામાં આવી છે. બાકીનું ધર્માસ્તિકાયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સમજવું જેમ કે આ પ્રકારને અભિલાપક્રમ આગળ સમજવે-“હે ભગવન્! બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશે કેટલા જીવાસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે ?” “હે ગૌતમ! બે પુલ સ્તિકાયપ્રદેશ અનંત જીવાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે.” એજ પ્રમાણે બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશે અનંત પુલાસ્તિકાયપ્રદેશે વડે પૂર્ણ થાય છેઅદ્ધાસમ દ્વારા તેઓ કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ઠ થતા નથી. જે પુલાસ્તિકાયને બે પ્રદેશ અદ્ધા સમચો વડે પૃષ્ટ થાય છે તે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે. સમયક્ષેત્રમાં (અઢીદ્વીપમાં જ તેઓ અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે, સમયક્ષેત્રની બહારના ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ અદ્ધાસમ વડે પૃષ્ટ થતા નથી, કારણ કે ત્યાં અદ્ધાસમયને અભાવ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સિન્નિ મતે ! વાથિયારના જેવફા દરિયાપદં પુ” હે ભગવન ! jલાસ્તિકાયના ત્રણ પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“કન્નરૂપ બહિં, રોપણ સત્તાહિં, પર્વ અgmરિઘકાચઘરે ફિ” હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા આઠ પ્રદેશ વડે અને વધારેમાં વધારે ૧૭ પ્રદેશ વડેસ્કૃષ્ટ થાય છે. એ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અધર્માસ્તિકાયના ઓછામાં ઓછા આઠ પ્રદેશે વડે અને વધારેમાં વધારે ૧૭ પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. આ વિષયમાં નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. જો કે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ જઘન્ય રૂપે એક પ્રદેશમાં જ અવગાઢ હોય છે, પરંતુ પૂર્વોક્ત નયની માન્યતા અનુસાર તેમને ત્રણ પ્રદેશમાં અવગાઢ થયેલા મનાય છે. આ રીતે ત્રણ પરમાણુઓ દ્વારા અવગાહપ્રદેશ ત્રણ પ્રકારના માની લેવામાં આવે છે અને તેમની નીચેના અથવા ઉપરના ત્રણ પ્રદેશ, અને બે તેમની આજુબાજુના પ્રદેશ, આ પ્રકારે ધર્માસ્તિકાયના આઠ પ્રદેશ દ્વારા પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશની સ્પર્શન થાય છે. આ જઘન્ય સ્પર્શના સમજવી તેની આકૃતિ ચંદ્રપૃષ્ઠમાં ન. ૩ અને ૪ માં જોઈ લેવી. વધારેમાં વધારે ૧૭ ધર્માસ્તિકાય પ્રદેશ દ્વારા ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશોની સ્પર્શનાનું સ્પષ્ટીકરણ–જ્યાં પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાહિત થઈ રહેલા છે, તે ત્રણ પ્રદેશ તેમના દ્વારા સ્પષ્ટ છે. ત્રણ પ્રદેશ ઉપરના અને ત્રણ પ્રદેશ નીચેના તેમના દ્વારા પૃષ્ટ છે. તથા પૂર્વ પશ્ચિમ ભાગના ત્રણ ત્રણ પ્રદેશ અને ઉત્તરદક્ષિણ ભાગને એક એક પ્રદેશ પ્રુષ્ટ થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના વધારેમાં વધાર ૧૭ પ્રદેશ દ્વારા પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશની સ્પશન થાય છે તેની આકૃતિ યંત્રપૂઠમાં નં. ૧ માં જોઈ લેવી. શ્રી ભગવતી સૂત્ર: ૧૦ ૧૯૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy