________________
સ્થિÉિ પુ?” હે ભગવન્! પુલાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિ
કાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? એજ પ્રમાણે તે કેટલા અધમસ્તિકાયાદિકના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“gવં કહેવ કીરિથwાચરણ” હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જેવું જીવાસ્તિકાયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે પુતલાસ્તિકાયનું પણ પ્રતિપાદન કરવું જોઈએ. જેમ કે-પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ચાર પ્રદેશ વડે (ઉપર નીચેના ધર્માસ્તિકાય પ્રદેશમાંના કેઈ એક પ્રદેશ વડે, આસપાસની બે દિશાઓના ધર્માસ્તિકાયના બે પ્રદેશ વડે, અને જ્યાં તે અવગાઢ છે ત્યાંના એક ધમસ્તિકાય પ્રદેશ વડે) પૃષ્ટ થાય છે. અહીં ઉપરિ અભાગની વિવક્ષા કરવામાં આવી નથી. ઉત્કૃષ્ટની અપેક્ષાએ પુલાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. એ જ પ્રમાણે તે પદ્રલાસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશો વડે પણ સ્પષ્ટ થાય છે. તે સાત આકાશાસ્તિકાય પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે, અનંત જીવાસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે અને અનંત પુલાસ્તિકાય પ્રદેશે વડે પણ સ્પષ્ટ થાય છે. સૂ૦૮
એકાસ્તિકાયપ્રદેશસ્પર્શનાદ્વારવક્તવ્યતા સંપૂર્ણ
દ્વિપદેશાદિ પુદ્ગલાસ્તિકાયસ્પર્શના દ્વારકા નિરૂપણ
– આદિ પ્રદેશેવાળ પદ્ધલાસ્તિકાય સ્પર્શદ્વાર વક્તવ્યતા– “તો મરે! મારા રૂદ્દેિ ધમરિથ#ાચાર” ઇત્યાદિ
ટીકાથ–પૂર્વ સૂત્રમાં ધર્માસ્તિકાયાદિક ચાર અસ્તિકાયના અને પદ્રલાસ્તિકાયના એક પ્રદેશની સ્પર્શનાનું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ સૂત્ર દ્વારા પુલાસ્તિકાયના બે આદિ પ્રદેશવાળા સોની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ મંતે! વારિથાના વહિં પરિઘવાયvહહિં પુ” હે ભગવન્ ! પદ્મલાસ્તિકાયના બે પ્રદેશે ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નવા જી૬િ, ૩ોલવણ ઘાર ” હે ગૌતમ! પુલાસ્તિકાયના બે પ્રદેશે ઓછામાં ઓછા છે અને વધારેમાં વધારે બાર ધમસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
१८८