SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કહેલ નથી નહીં તે “અવક્તવ્ય” આ શબ્દ દ્વારા પણ તેને નિર્દેશ કરી શકાય નહી હવે એજ વાતને જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કારણ પૂછે છે-“હે મંતે ! ગુજ, રાજુમાપુરશી ઉપર ગાવા, નો કાચા, હિર અવત્તવું બાગાય નો ગાયા,” હે ભગવન્! આપે રત્નપ્રભા પૃથ્વીને સદ્દરૂપ, અને અસદ્દરૂપ તથા અવક્તવ્ય રૂપ શા કારણે કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા! ”હે ગૌતમ! “Hજે આ શાળા, परस्स आइडे नो आया, तदुभयस्स आइटे अवत्तव्वं रयणप्पभापुढवी आयाइए નો ગાયારૂ” રત્નપ્રભા પૃથ્વીને તેની વર્ણાદિ રૂપ પર્યાની અપેક્ષાએ જ્યારે વિચાર કરવામાં આવે–તેના ગુણોની અપેક્ષાએ જે તેનું કથન કરવામાં આવે, તે તે સદરૂપ હોય છે, અન્ય શર્કરાદિ પૃથ્વીઓની વર્ણાદિ રૂપ પર્યાયોની અપેક્ષાએ તે સદુરૂપ હતી નથી, તેમની અપેક્ષાએ આદિષ્ટ (કથિત) કરવામાં આવે તે તેને આત્મા (અસદુરૂપ) હોય છે. અને જ્યારે આ અને પર્યાને એક સાથે કહેવાની અપેક્ષાએ તેને વિચાર કરવામાં આવે, ત્યારે તે સરૂપ અને અસદુરૂપ, આ બને પર્યાય દ્વારા અવક્તવ્ય થઈ જાય છે, કારણ કે તેમાં એ બને ધર્મ છે-જ્યારે એક જ સમયે આ બને ધર્મોનું તેમાં પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કરવામાં આવે, ત્યારે તે વાત યુગપતુ એક સાથે) કેવી રીતે સંભવી શકે ? કારણ કે શબ્દની પ્રવૃત્તિ તે કમશઃ જ થશે-જ્યારે તેમાં સદુરૂપતાનું કથન કરવામાં આવશે, ત્યારે તે અસદુરૂપતાના કથનથી રહિત થઈ જશે, અને જ્યારે તેમાં અસદુરૂપતાનું કથન કરવામાં આવશે, ત્યારે તે સદુરૂપતાથી રહિત થઈ જશે આ કથનનું તાત્પર્ય એ છે કે રતનપ્રભા પૃથ્વી સરૂપ અને અયરૂપ આ બને ધર્મોથી યુક્ત હોવા છતાં પણ તે સદુરૂપત્ય અને અસદુરૂષત્વ પ્રતિપાદક શબ્દ વડે એક કાળે વાચ્ય હોઈ શકતી નથી અહીં રત્નપ્રભા પૃથ્વીમાં જે અવાતા કહેવામાં આવી છે તે આત્મહત્વ (સદુરૂપત્ર) અને અનાત્મવ (અસદુરૂપત્વ) શબ્દની અપેક્ષાએ જ કહેવામાં આવી છે, એમ સમજવું-સર્વથા અવાચ્યતા પ્રકટ કરવામાં આવી નથી નહીં તે તે અવાચ્ય શબ્દ દ્વારા પણ ત્યાં વાચ્યતા થઈ શકશે નહી, તેથી અહીં આમ અનાત્મ શબ્દો દ્વારા જ અવાગ્યતા કહેવામાં આવી છે, એમ સમજવું જોઈએ જેમ કે જે પદાર્થો અનભિલાપ્ય હોય છે, તેઓ ભાવ૫દાર્થ, વસ્તુ, આદિ શબ્દ વડે અથવા “અનભિલાષ્ય” આ શબ્દ વડે અભિલાપ્ય થાય છે. તે બળે રવ ગાન નો કારૂ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ૨નપ્રભા પૃથ્વી અમુક અપેક્ષાએ સદૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસરૂપ છે અને અમુક અપેક્ષાએ (સદ-અસદુ આ બને શબ્દો દ્વારા એક સાથે પ્રતિપાદિત નહીં કરી શકાવાને કારણે) અવક્તવ્ય પણ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા સંતે ! સામા પુઢવી” ઇત્યાદિ– હે ભગવન્! શર્કરા પ્રભા નામની જે પૃથ્વી છે તે સદૂરૂપ છે કે અસદ્દરૂપ છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy