________________
અવિવણિત ધમથી–પણ ભિન્ન છે. છતાં પણ તેમાં તે સંશત્પાદક કેમ નથી? આ પ્રકારની પ્રતીતિ દ્વારા એજ વાતને સમર્થન મળે છે કે ધર્મ પિતાના ધમી કરતાં સર્વથા ભિન્ન હેત નથી એજ પ્રમાણે “ધમ પિતાના ધર્મીથી સર્વથા અભિન્ન છે,” એવું પણ નથી, કારણ કે સર્વથા અભેદ માનવામાં આવે, તે સંશયની ઉત્પત્તિ જ થઈ શકતી નથી, કારણ કે ગુણનું ગ્રહણું થઈ જવાથી–ધર્મનું ગ્રહણ થઈ જવાથી–ગુણનું ગ્રહણ થઈ જશે તેથી કથંચિત્ ભેદ પક્ષને આશ્રય લઈને એવું કહી શકાય છે કે “જ્ઞાન નિયમથી આત્મા છે. ” “જ્ઞાન આત્મા છે,” આ કથન દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાનના વિના પણ રહી શકે છે, પરંતુ જ્ઞાન આત્મા વિના રહી શકતું નથી જેવી રીતે ખેરનું વૃક્ષ વનસપતિ વિના રહી શકતું નથી, પણ વનસ્પતિ ખેરના વૃક્ષ વિના રહી શકે છે, એજ પ્રમાણે જ્ઞાન આત્મા વિના રહી શકતું નથી, પણ આત્મા જ્ઞાન વિના રહી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા સંતે! કેરફુચા નાખે, અને તેના ના ?” હે ભગવન ! નારકેનો આત્મા શું જ્ઞાનસ્વરૂપ હોય છે, કે અજ્ઞાન રૂપ હોય છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે નારકેનું જ્ઞાન તેમના આત્માથી અભિન્ન હોય છે, કે તેમના આત્માથી ભિન્ન હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! ” હે ગૌતમ! “આવા જોરદાળ પિચ ના, સિય અન્ન, ના કુળ નિચ ગયા” હે ગૌતમ ! નારકેને આત્મા કયારેક જ્ઞાનસ્વરૂપ હોય છે, કારણ કે નારકમાં પણ સમ્યગ્દર્શન સંભવે છે ખરુ અને કયારેક અજ્ઞાનસ્વરૂપ પણ હોય છે, કારણ કે નારકામાં મિથ્યાદર્શનનો પણ સદ્ભાવ હોઈ શકે છે. તથા નારકનું જે જ્ઞાન હોય છે, તે નિયમથી જ આત્મરૂપ હોય છે, આત્માથી ભિન્ન હેતું નથી “ઘઉં નવ ઘળિયામારા” નારકેના જેવું જ કથન અસુરકુમારેથી લઈને રતનિતકુમાર પર્યન્તના દેવોના આત્માના સંબંધમાં પણ સમજવું એટલે કે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના દેવને આત્મા શું જ્ઞાનસ્વરૂપ હોય છે? કે અજ્ઞાનસ્વરૂપ હોય છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ! અસુરકુમારાદિકને આત્મા ક્યારેક જ્ઞાનસ્વરૂપ પણ હોય છે અને કયારેક અજ્ઞાનસ્વરૂપ પણ હોય છે. તથા તેમનું જે જ્ઞાન છે, તે નિયમથી જ આત્મરૂપ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧૬