SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે છે–“વિચાથા, નાવાયા, જોવા, જાળોચા, નાના, રંગાયા, ચરિત્તાવા, વરિયાવા” (૧) દ્રવ્યામા, (૨) કપાયાત્મા, (૩) ગામ, (૪) ઉપયોગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા અને (૮) વર્યાત્મા. જે નિરંતર અપરા૫ર પર્યાયને-વપર પર્યાય રૂપ જ્ઞાનાદિક વિવિધ પ્રકારના ગુણોને-પ્રાપ્ત કરતા રહે છે, એ આત્માને સમજવો જોઈએ અથવા-ગતિ અર્થવાચક જેટલા ધાતુઓ છે, તે બધા ધાતુઓ જ્ઞાનાર્થક હોય છે, આ નિયમાનુસાર ગત્યર્થક “અત્ ” ધાતુનો અર્થ “જ્ઞાન” થાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર આત્મા ઉપગ લક્ષણવાળ હોવાને કારણે પદાર્થોને નિરંતર જાણતો રહે છે. આ સામાન્ય ઉપયોગ લક્ષણુની અપેક્ષાએ તો આત્મા એક જ પ્રકાર છે, પરંતુ ઉપાધિના ભેદની અપેક્ષાએ તેને આઠ પ્રકારને કહેવામાં આવે છે. ત્રિકાલાનુગામી આત્મામાં જ્યારે કષાયાદિ પર્યાને ગૌણ કરી દેવામાં આવે છે, ત્યારે શુદ્ધ દ્રવ્ય રૂપ જે આત્મા રહે છે, તેનું નામ દ્રયાત્મા છે. બધાં જમાં આ પ્રકારને દ્રવ્યાત્મા હોય છે. જ્યારે એજ આત્મા ક્રોધાદિ કષાયથી યુકત થઈ જાય છે, ત્યારે તેને કષાયાત્મા કહેવામાં આવે છે. જ્યાં સુધી તેના તે કષાયે ક્ષીણ અથવા ઉપશાન્ત થઈ જતાં નથી, ત્યાં સુધી તે આત્મા કષાયાત્મા રૂપે જ રહે છે, તેથી અક્ષણ કષાવાળાના આત્માને અથવા અનુયશાન્ત કષાયાવાળાના આત્માને કષાયાત્મા કહે છે મન, વચન અને કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ)નું નામ ગ છે. આગ પ્રધાન જે આત્મા છે તેને ગાત્મા કહે છે. ગવાળા જીને આત્મા આ પ્રકાર હોય છે ઉપયોગના બે પ્રકાર કહ્યા છે. (૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકાર ઉપયોગ આ ઉપગપ્રધાન જે આત્મા હોય છે તેને ઉપગાત્મા કહે છે. આ આત્મા સિદ્ધ અને સંસારી રૂપ હોય છે, અને મુક્ત અને સંસારી સમા છમાં ઉપગાત્માને સદ્ભાવ રહે છે અથવા વિવ ક્ષિત વસ્તુના ઉપયોગથી ઉપયુક્ત જે આત્મા હોય છે, તેનું નામ ઉપગાત્મા છે. જે આત્મામાં દર્શનાદિ ગુણોને ગૌણ કરી નાખવામાં આવ્યા હોય, અને જ્ઞાનગુણનું પ્રાધાન્ય હોય, એવી સ્થિતિથી સંપન્ન જે આત્મા હોય છે. તેને જ્ઞાનાત્મા કહે છે સમ્યગ્દષ્ટિ જીવોમાં જ્ઞાનાત્માનો સદુભાવ હોય છે. એ જ પ્રમાણે દર્શનાત્માનું સ્વરૂપ પણ સમજવું સઘળા જીવમાં આ દર્શનાત્માને સદ્ભાવ હોય છે એ જ પ્રમાણે ચારિત્રાત્માનું સ્વરૂપ પણ સમજવું વિરતિવાળા જીમાં ચારિત્રાત્માને સદ્ભાવ હોય છે ઉથાન આદિ સ્વરૂપવાળે જે આત્મા હોય છે, તેને વીર્યામા કહે છે સમસ્ત સંસારી જીમાં આ વર્યાત્માને સદ્ભાવ હોય છે એજ વાત “જીવન” ઈત્યાદિ તથા “જ્ઞાનં ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારે આત્માના આઠ પ્રકારની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર એ વાતની પ્રરૂપણું કરે છે કે કયા આત્મભેદની કયા આત્મભેદની સાથે સમાપ્તિ સંભવી શકે છે, અને ક્યા આત્મભેદની કયા આત્મભેદની સાથે વિષમ વ્યાપ્તિ સંભવે છે– શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૦૭
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy