SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ, અને (૫) ભાવવ. દેવ શબ્દની યુત્પત્તિ આ પ્રકારની છે-“રીદવસે-શ્રીરારિ ગુર્વત્તિ, કૃતિ રેવાડ, હીચજો ના ત્યારે મારા ઘરથા રૂતિ વા:આ વ્યુત્પત્તિ અનુસાર “જેઓ વિવિધ પ્રકારની કીડા કરનારા હોય છે, તેમને કહેવામાં આવે છે. “અથવા ” લેકે દ્વારા આરાધ્ય રૂપે જેમની સ્તુતિ કરવામાં આવે છે, તેમને દેવે કહે છે.” ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે ળ મંતે ! પર્વ ગુરૂ, મરચાવા, મવિચાદરવા?" હે ભગવન્ ! દેના એક પ્રકારને “ભવ્યદ્રવ્યદેવ” નામ શા કારણે આપવામાં આવ્યું છે? એટલે કે “ભવ્યદ્રવ્યદેવ” આ પદને અર્થ શું થાય છે અને ભવ્યદ્રવ્યદેવ કેને ગણવામાં આવે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા રે મરિયા રિરિરિવોળિયા, ના મજુરા ઘા, વેણુ વાલિત્તા” હે ગૌતમ ! જે પંચેન્દ્રિયતિય ચ ચેનિક અથવા મનુષ્ય, દેવોમાં જન્મ ગ્રહણ કરવાને ગ્ય હોય છે–એટલે કે જે જીવ ભવિષ્યમાં દેવત્વની પ્રાપ્તિ કરવાનું છે, તે જીવને ભવ્યદ્રવ્ય કહે છે. "से तेणट्रेणं गोयमा! एवं वुच्चइ, भवियदव्वदेवा, भवियदव्यदेवा" के ગૌતમ ! તે કારણે મેં દેના એક પ્રકારનું નામ “ભવ્યદ્રવ્યદેવ” કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બતે ! gવે , નરદેવા, વરરેવા” હે ભગવન ! આપે દેના બીજા પ્રકારનું નામ “નરદેવ” શા કારણે કહ્યું છે? એટલે કે નરદેવને શું અર્થ થાય છે? અને કેને નરદેવ કહે. વામાં આવે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-મનુષ્યમાં જેઓ આરાધ્ય ગણાતાં હોય છે, અથવા કાન્તિ આદિ ગુણોથી જેઓ યુક્ત હોય છે, અથવા નરરૂપે જન્મ ધારણ કરવા છતાં પણ જેઓ દેવતુલ્ય છે, તેમને નરદેવ કહેવામાં આવે છે. આ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે–ોચના! ને જે रायाणो चाउरतकवट्टी, उप्पन्नसमत्तचक्करयणप्पहाणा, नवनिहिपइणो, समिद्ध कोसा, बत्तीसं रायवरसहस्साणुजायमग्गा, सागरवरमेहलाहिवइणो मणुस्सिदा" . શીતમ ! જેઓ ચાર દિશાઓના સ્વામી હોય છે, સર્વ રત્નમાં પ્રધાન એવાં ચકરત્નની જેમને પ્રાપ્તિ થઈ હોય છે, જેઓ નવ નિધિએના સ્વામી હોય છે, જેમનો ભંડાર સદા ભરપુર રહે છે, બત્રીસ હજાર શ્રેષ્ઠ રાજાઓ જેમની આજ્ઞાને આધીન હોય છે, મહાસાગર રૂપ શ્રેષ્ઠ મેખલા (કંદરા)વાળી આ સમસ્ત ભૂમિ પર જેમનું અખંડ સામ્રાજ્ય વ્યાપેલું રહે છે જેઓ ૬ ખંડ (પાંચ ચ્છખંડે અને એક આયખંડ) પૃથ્વીના સ્વામી હોય છે, એવાં મનુષ્યન્દ્રને (ચક્રવર્તીને) જ “નરેદેવ” કહેવામાં આવે છે. તે તેને જ્ઞા નરવા” હે ગૌતમ! તે કારણે મેં દેના એક પ્રકારને “નરદેવ” રૂપે ઓળખાવ્યું છે. એટલે કે મનુષ્યમાં રતનસમાન અથવા દેવતુલ્ય પુરુષને નરદેવ” કહેવામાં આવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ળળ મંતે! હવે ગુજ, મેવા, ઇરેવા” હે ભગવન! આપે દેને “ધર્મદેવ” એ ત્રીજો પ્રકાર શા કારણે શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy