________________
દેવા હોય છે માહેન્દ્રથી લઈને અશ્રુત પર્યન્તના દેનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે તેમનું નામ ભૂતકાળમાં ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હોય. ખરી વાત તે એ છે કે તેમનું નામ પહેલાં પણ હતુ વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ રીતે તેમનું નામ તે ત્રણે કાળમાં રહેનારું છે. કારણ કે તે નામ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષા એ અનાદિ કાળથી ત્યાં એ ક્રમ ચાલ્યા કરે છે. કે કેટલાક ત્રાયસ્ત્રિશકે ત્યાંથી ચ્યવે છે અને કેટલાક ત્રાયશ્ચિંશકો ઉત્પન્ન થતા રહે છે, પરંતુ કદી પણ તેમને ત્યાં સવ'થા અભાવ સંભવી શકતું નથી.
સૂત્રને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે “જે મરે! લે ! હે ભગવન! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે.” આ પ્રમાણે કહીને તેમને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા છે સૂ૦ ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રિયદર્શિની
વ્યાખ્યાના દસમા શતકને ચેાથે ઉદ્દેશક સમાપ્ત ૧૦-કા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૪ ૨