SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારથી પાલાશ સંનિવેશ નિવાસી, પરસ્પરને સહાયભૂત થનારા એવા તે ૩૩ શ્રમણોપાસક શ્રાવકે દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રાયશ્ચિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શું એવું કહેવામાં આવે છે કે દેવેન્દ્ર, દેવરાજ શક્રના મંત્રી સ્થાનીય ૩૩ ત્રાયસ્વિંશક દે છે? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી કારણ કે દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રાયશિક દેવાનાં નામ શાશ્વત કહ્યાં છે. તેમનું નામ (અસ્તિત્વ) ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કઈ પણ કાળ તેમના અસ્તિત્વથી રહિત હોતું નથી. તેમનું નામ તે યુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કેટલાક ત્રાયઅિંશોનું ચ્યવન અને કેટલાકની ઉત્પત્તિ થતી જ રહે છે. આ પ્રમાણે અનાદિ ક્રમ ચાલ્યા જ કરે છે, તે કારણે તેમને સર્વથા વિચછેદ કદી થત નથી. તેથી જ તેમનું નામ શાશ્વત કહેલ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ગરિણાં મને ! ફાળરસ, ઘર્વ ના સાત નવાં igg નયg iાવ વવવત્તા” હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયશ્ચિશક દેવે હોય છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને પણ ત્રાયશ્ચિંશક દેવે હેય છે. આ ત્રાયશ્ચિંશક દે વિષેનું સમસ્ત કથન દેવેન્દ્ર, દેવરાજ શક્રના ત્રાયશિકના કથન પ્રમાણે સમજવું. અહીં દેવેન્દ્ર શકના ત્રાયશિક કરતાં એટલી જ વિશેષતા છે કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાય. શિક દેવે તેમના પૂર્વભવમાં ચંપાનગરીમાં વસતા હતા. બાકીનું તેમની સમૃદ્ધિ આદિનું કથન પાલાશ સંનિવેશ નિવાસી ૩૩ શ્રાવકોના કથન પ્રમાણે સમજવું. “તે એ ઈશાનેન્દ્રના ત્રાયશિક દેરૂપે ઉત્પન્ન થયા છે.” આ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું. “ અહીં “કાવ (યાવતુ) ” પરથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે–“સેળ વાઢેળ તેનું સમgi દેવ નં. દીરે તીરે મારવા રંપાના નચરી હોરથા વો ” “તે કાળે અને તે સમયે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપા નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કર્યા પ્રમાણે સમજવું.” ઈત્યાદિ કથન. તે ચંપા નગરીમાં એક બીજાને સહાય કરનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ રહેતા હતા. તેઓ ધનાઢય અને દીમ આદિ વિશેષણોથી યુક્ત હતા. તેઓ એવા પ્રભાવશાળી હતા કે અનેક માણસો ભેગા મળીને પણ તેમને પરાભવ કરવાને અસમર્થ હતા, તેઓ જીવ અને અજીવ તત્વના જાણકાર હતા, પાપ અને પુણ્યના સ્વરૂપને તેઓ સારી રીતે સમજતા હતા, તેઓ પહેલાં અને પછી પણ-જીવન પર્યન્ત–ઉગ્ર, ઉગ્ર વિહારી, સંવિગ્ન અને સંવિગ્નવિહારી રહ્યા હતા. આ રીતે પિતાની શ્રમપાસક પર્યાયને અનેક વર્ષ વ્યતીત કરીને, અતકાળે તેમણે એક માસને સંથારે ધારણ કર્યો. આ રીતે સંથારા વડે પોતાના આત્માને વાસિત કરીને અનશન દ્વારા તેમણે ૬૦ ભક્તોનું છેદન કરી નાખ્યું (૧ માસના ઉપવાસ દ્વારા ૬૦ ટંકના જનને ત્યાગ કર્યો.) પિતાનાં પાપસ્થાનકની આચના શ્રી ભગવતી સૂત્ર : ૯ ४०
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy