SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આપ શા કારણે કહે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે ચમરેદ્રને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસ્ત્રિશકે છે, એવું શા કારણે કહો છે ? ગૌતમ સ્વામીને જવાબ વરુ નામથી” હે શ્યામહસ્તી ? તમારા આ પ્રશ્નના ઉત્તર રૂપે હું તમને તેમની પૂર્વકથા કહું છું તે સાંભળે –“તે कालेण तेण समएण इहेव जबुदीवे दीवे भारहे वासे कायंदी नाम नयरी होत्था, વજો ” તે કાળે અને તે સમયે જંબુદ્વિપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કાકંદી નામની નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. “W T #ારી નથી તાચત્તરં પહાચી જાણવા મળવાRT રિકતિ” તે કાકંદી નગરીમાં ૩૩ શ્રમણે પાસક શ્રાવકે રહેતા હતા. તેમને એક બીજા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેઓ હંમેશા એક બીજાના સુખમાં એક બીજાને મદદરૂપ થતા હતા. “ જાવ રિમૂવા” તેઓ સામાન્ય સ્થિતિના ન હતાં, પણ તેમની આર્થિક સ્થિતિ ઘણું સારી હતી–તેઓ ધનાઢ્ય હતા અને ઘણાં જ પ્રભાવશાળી હતા. તેમને પરાભવ કરવાને કઈ સમર્થ ન હતું. “નાર અવાિ ” આ સૂત્રાશમાં વપરાયેલા “ વાવ (વાવ)” પદથી “દીપ્તથી લઈને બહુજન ” પર્યન્તને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવેલ છે. દીપ્ત આદિ જે વિશેષ તેમની સાથે વપરાયાં છે, તેને અર્થ ઉપાસક દશાંગ સૂત્રના પહેલા અધ્યાયમાં આનંદ શ્રાવક વિષયક ત્રીજા સૂત્ર પર અગારધર્મ સંજીવની નામની મારા દ્વારા લખાયેલી ટીકામાંથી વાંચી લે. “મિનનીવાળવા, વરુદ્ધપુછાવા વાવ વિનંતિ” તે ૩૩ શ્રમ પાસક ગૃહસ્થ જીવ અને અજીવના સ્વરૂપને જાણનારા હતા. વળી તેઓ પુણ્ય અને પાપના મર્મને પણ સમજતા હતા. "तएण ते साय तीस सहाया गाहावई समणोबासगा पुब्बि उग्गा, उग्गविहारि, सविग्गा सविग्गविहारी, भवित्ता तओ पच्छा पासस्था, पासस्थविहारी" તે પરસ્પરને સહાયભૂત થનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ પહેલાં શ્રાવકધર્મનું કડક રીતે પાલન કરતા હતા અને શ્રાવક ધર્મની ઉત્કૃષ્ટ ક્રિયાઓ પાળવામાં જ પ્રયત્નશીલ રહેતા હતા તેઓ સંવિગ્ન -સંસાર ભીરૂ-મોક્ષાભિલાષી હતા, વૈરાગ્યદશામાં વિચરતા હતા. પશુ કાળાન્તરે તેમના જીવનમાં પરિવર્તન થઈ ગયું અને તેઓ પાસસ્થ (સમ્યગ્ર જ્ઞાન આદિથી વિહીન) થઈ ગયા, પાર્શ્વવિહારી-અનુચિત અનુષ્ઠાનકારી થઈ ગયા, “મોસા-ડોસવારી, કુરીઝા, કુશી-વિદારી વાજીંતા મા વિણા, વહૂરું વાણારૂં સમોવાસાપરિયાi vrsitત” ધર્માનુષ્ઠાનથી થાક્યા હોય એવા–શિથિલાચારી થઈ ગયા, આળસને લીધે શ્રાવકના અનુષ્ઠાનેનું પાલન નહી કરીને અવસગ્નવિહારી થઈ ગયા, જ્ઞાનાદિ આચારની વિરાધનાવાળા થઈ ગયા કુશીલ વિહારી થઈ ગયા એટલે કે જ્ઞાનાદિ આરાધના કરવાને બદલે વિરાધના કરનારા થઈ ગયા, શાઅમર્યાદાને ખ્યાલ રાખ્યા વિના પિતાની ઈચ્છા અનુસાર આચારવિચાર રાખનારા એટલે કે સ્વછંદી બની ગયા આ રીતે તેમણે પોતાની જિંદગીના બાકીનાં વર્ષો વ્યતીત કર્યા. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૪
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy