SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પરન્તુ અલેક અને તિર્યગ્લેક રૂપ ક્ષેત્રલેક કરતાં ઉર્વલેક રૂપ ક્ષેત્રના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહી (ઉર્વીલોકમાં) અદ્ધાસમય (કાળ) હેતે નથી. તેથી અહીં કાળ સિવાયના ૬ અરૂપી દ્રવ્યનું જ કથન થવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે અલેક અને તિર્યગ્લૅકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય, આ ત્રણ અસ્તિકાના ત્રણ દેશ, ત્રણ પ્રદેશ અને કાળ રૂપ સાત અપી દ્રવ્યોનું અસ્તિત્વ હોય છે. આ પ્રકારના સાત અરૂપી દ્રવ્યનું પ્રતિપાદન આગળ કરવામાં આવી ચુક્યું છે. કારણ કે તે બનને ક્ષેત્રમાં સૂર્યના પ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદભાવ હોય છે. અધેલકમાં સલિલાવતી વિજયની અપેક્ષાએ સૂર્યપ્રકાશ છે એમ સમજવું. પરંતુ ઉદર્વકમાં તે સૂર્યપ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદ્દભાવ જ નથી તેથી ત્યાં છ પ્રકારના અરૂપી દળે પ્રકટ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઢો મને ! ઉ નીવા.. ? “હે ભગવન! શું લેકમાં જીવો છે ખરાં? જીવ દેશો છે ખરાં ? જીવ પ્રદેશ છે ખરા ? અજીવે છે ખરાં? અજીવ દેશ છે ખરાં? અજીવ પ્રદેશ છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“વા વિવિચક્ષણ ગથિયા ચોગાના” હે ગૌતમ! બીજા શતકના દશમાં અસ્તિકાયેદ્દેશકમાં, કાકાશમાં જીવાદિકનું જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. જેમ કે-લેકમાં જીવે પણ છે, જીવદેશ પણ છે અને જીવપ્રદેશે પણ છે. એ જ પ્રમાણે ત્યાં અજી પણ છે, અછવદેશો પણ છે અને અ જીવપ્રદેશ પણ છે. “ ત્તવ'' તે વક્તવ્યતા કરતાં આ વક્તવ્યતામાં એટલે જ તફાવત છે કે ત્યાં પાંચ પ્રકારના જ અરૂપી પ્રતિપાદિત કરવામાં આવેલ છે, આકાશના ભેદનું ત્યાં પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, ત્યારે લેકમાં સાતે પ્રકારના અરૂપીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સાત પ્રકારના અરૂપી નીચે પ્રમાણે છે. “अरूवी सत्तविहा जाव अहमत्थिकायस्स पएसा, नो आगासथिकाएआगासस्थिकायस्सदेसे, आगासथिकायस्स पएसा अद्धासमए, सेसं तंत्र" (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશે, (પ) ને આકાશાસ્તિકાય આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ અને (૭) કાળ આ કથનનું તાત્પર્ય એ છે કે ત્યાં કાકાશની અપેક્ષાએ પ્રતિપાદન થવું જોઈએ. તેથી લોકાકાશમાં આકાશના ભેદ-આકાશાસ્તિકાયના દેશે અને પ્રદેશનું પ્રતિપાદન થયું નથી. પરંતુ અહીં તે અસ્તિકાયના સમુદાય રૂપ લેકની અપેક્ષાએ પ્રતિપાદન કરવાનું હોવાથી આકાશના ભેદેને પણ સમાવેશ કરવામાં આવેલ છે. તે કારણે અહીં સાતે પ્રકારના અરૂપીને સદ્ભાવ બતાવ્યું છે ધર્માસ્તિકાય લેકમાં પરિપૂર્ણરૂપે વ્યાપક રૂપે રહેલ છે. ધર્માસ્તિકાયને દેશ (અંશ) તે હેતે નથી, કારણ કે પૂરું ધર્માસ્તિકાય જ ત્યાં વર્તમાન હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૧
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy