SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૯+૧૩=૧૮ વિકલ્પ બને છે. તેમાંપૂર્વોક્ત પવિકલ્પ ઉમેરવાથી ૯૦ વિકલ્પનું કથન અહીં સુધીમાં પૂરું થાય છે. હવે પંકપ્રભાની પ્રધાનતાવાળા નવ વિકપ સૂત્રકાર પ્રકટ કરે છે– પહેલાં પંwભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના રોગથી બનતાં ૬ વિકપનું કથન નીચે પ્રમાણે સમજવું-(૧) અથવા એક નારક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, અને બે તમ:પ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક ૫ કપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક પંકપ્રભા માં, બે ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે પંકપ્રભામાં એક ધૂમપભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૬ અથવા બે પંકપ્રભામાં એક ધુમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન થાય છે. - હવે પંકપ્રભા અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીને યોગ કરવાથી નીચે પ્રમાણે ત્રણ વિકલ્પ બને છે-(૧) અથવા એક નારક પંકિમભામાં, એક નારક તમઃ પ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક પંકમભામાં, બે નારક તમ પ્રભામાં અને એક નારક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારકે પંકપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પંકપ્રભાની પ્રધાનતાવાળાં કુલ ૯ વિકલ્પ બને છે. આ નવા વિકલ્પમાં પૂર્વોક્ત ૩ વિકલ્પ ઉમેરવાથી ૧૦૨ વિકપનું કથન અહીં પૂરું થાય છે. હવે ધૂમપ્રભાની પ્રધાનતાવાળા ત્રણ વિકપ બતાવવામાં આવે છે. આ ત્રણ વિક૯ ધૂમપ્રભા અને તમપ્રભા સાથે સાતમી તમસ્તમપ્રભા નરકન યોગ કરવાથી બને છે-(૧) અથવા એક નારક યૂ પ્રભામાં એક નારક તમા પ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક ધૂમપ્રભામાં, બે નારકે તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારકો ધૂમપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ૧૦૨ વિકલ્પમાં આ ત્રણ વિકલ્પ ઉમેરતા કુલ ૧૦૫ ત્રિકસંગી વિકલ્પનું કથન અહીં સમાપ્ત થાય છે આ રીતે ચાર નારક જીના પૃથ્વીત્રયના સ. ગથી બધાં મળીને ૧૦૫ વિકલ્પ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચાર નારકાના ત્રિકસંગી ૧૦૫ વિક૯પે થાય છે, જે આ પ્રમાણે કહેવામાં આવ્યા છે– આ ચાર નારકેના ૧-૧-૨, ૧-૨-૧, ૨-૧-૧, આ પ્રમાણે ત્રણ વિકલ્પ કહ્યા છે. આ વિકલ્પનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy