________________
અને એક તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શર્કરપ્રભાની પ્રધાનતાવાળા ૧૨++૬+૪=૩૦ વિકલપ થાય છે. પૂર્વોક્ત ૪૫ ભગોમાં આ ૩૦ ભંગને ઉમેરવાથી ૭૫ ભ (વિક૯પ) નું કથન અહીં પૂરું થાય છે.
હવે વાલુકાપ્રભાની પ્રધાનતાની અપેક્ષાએ જે ૧૮ વિકપ થાય છે તે પ્રકટ કરવામાં આવે છે–પહેલાં તે વાલુકાપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ત્રણ પ્રવીઓના યોગથી જે નવ વિક બને છે તે પ્રકટ કરવામાં આવે છે. (૧) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે તમા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એ નારકે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક વાલુકાપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ) અથવા એક નારક વાલુકાપ્રભામાં, બે પંકpભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક વાલુકાપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા બે વાલ પ્રભમાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા બે વાલુકાપ્રભામાં, અને એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે વાલુકાપ્રભા અને ધ્રુમપ્રભાની સાથે પછીના તમ પ્રભા આદિ બે પ્રવીઓના નથી જે ૬ વિકપ બને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે. (૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉપન્ન થાય છે. (૨) અથવા એક નારક વાલુકાપ્રભા માં, એક ધુમપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં, બે ધમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક વાલુકાપ્રભામાં, બે ઘૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથ બે વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે વાલુકા પ્રભામાં, એક ધૂમ. પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે વાલુકા પ્રમા અને તમ:પ્રભા સાથે સાતમી તમસ્તમપ્રભાના યોગથી બનતા ત્રણ વિકપનું કથન કરવામાં આવે છે–(૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક તમઃપ્રભામાં અને બે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રભામાં, બે તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, (૩) અથવા બે વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૨૫.