SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. ર૭ પૂર્વોક્ત ભાંગાઓ સાથે આ નવ ભાંગાઓને સરવાળે કરવાથી ૩૬ ભાંગાઓનું કથન અહીં પૂરું થાય છે. - હવે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની પૃથનીઓના વેગથી નીચે પ્રમાણે ૬ ભાંગાઓ થાય છે–(૧) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે તમ પ્રભા માં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. ( ૫ ) અથવા બે રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમામભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે, આ રીતે ૬ ભાંગા થાય છે. પૂર્વોક્ત ૩૬ભાંગામાં આ ભાંગા ઉમેરવાથી ૪૨ભાંગાનું કથન અહીં પૂરું થાય છે. હવે રત્નપ્રભા અને તમઃ પ્રજા સાથે અધસપ્તમી નરકના ચેગથી જે ૩ ભોગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, બે તમ પ્રભામાં અને એક નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રત્નપ્રભામાં, એક તમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૪૨ પૂર્વોક્ત ભાંગાઓમાં આ ત્રણ ભાંગાએ ઉમેરવાથી ૪૫ ભાંગા રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ બનાવવામાં આવ્યા છે. શર્કરાપ્રભપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ જે ૩૦ ભાંગાએ બને છે, તેમને હવે નીચે પ્રમાણે કથન કરવામાં આવે છે–શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા સાથે બાકીની (પછીની) પૃથ્વીના પેગથી નીચે પ્રમાણે ૧૨ ભાંગાઓ ( વિકટ ) બને છે–(૧) અથવા એક નારક શર્કરપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક શરામભામાં, એક વાલુકાપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન થાય છે. (૫) અથવા એક શર્કરામભામાં બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક શર્કરામભામાં, બે વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા એક શર્કરા પ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક તમપ્રભામાં ઉત્પન થાય છે. (૮) અથવા એક શર્ક પ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે, એક નારક વાલુ પ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક પંક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨ -
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy