SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ માણુ શસસ્તારકને તમે કૃત શય્યાસંસ્તારક કહેતા નથી પણ અકુત જ કરે છે, એ જ પ્રમાણે ચાલતી વસ્તુને ચાલી ચુકેલી માનવી તે પણ મિથ્યા માન્યતા જ છે. ક્રિયમાણ વસ્તુને કૃત માની શકાય જ નહીં પણ તેને અકત માની શકાય. કારણ કે જે ક્રિયામાણને કૃત રૂપે સ્વીકાર કરે છે તે જાણે કે વિદ્યમાન વસ્તુની કરણક્રિયાને સ્વીકાર કર્યો છે–એટલે કે જ્યારે એવું માનવામાં આવે કે “ થઈ રહેલી વસ્તુ થઈ ગયા રૂપ છે,” તે ચાલી રહેલી વસ્તુ જ ચાલી રહી છે અને તે ચાલી ચુક્યા રૂપ છે, તેથી એ પર. સ્થિતિમાં તે થઈ ચુકેલ વસ્તુની કરણક્રિયા માનવાને પ્રસંગે ઉપસ્થિત થયે પણું એવું માનવાથી અનેક દેશેનો સંભવ રહેશે-જેમકે જે કૂત હોય છે તે કિયમા હાતું નથી કારણ કે તે પુરાણ ઘટ (ઘડા) ની જેમ વિદ્યમાન હોય છે. જે કુત વસ્તુ પણ કરવામાં આવે તે તે કરવાને અન્ત જ કદી ન આવે તે તે નિત કરવામાં આવ્યા જ કરતા હોવાથી પ્રથમ સમયના જેમ સર્વદા કિયામાણ હોવાથી ક્રિયાની સમાપ્તિ થતી નથી, અથવા જે કિપમાણ વસ્તુને કુત માની લેવામાં આવે તે ક્રિયાની વિફલતા જ અનવી પડશે, કારણ કે અકૃત વિષયમાં જ ક્રિયાની સફળતા હોય છે. કૃત વિષયમાં થતી નથી, કારણ કે એ તે કરાઈ ચુકલ જ છે. જે વસ્તુ કરી લીધી હોય તેમા કરવા પશુ જ શું રહે છે ? - તથા જે વસ્તુ પહેલાં વિદ્યમાન ન હોય તે અમુક ક્રિયા દ્વારા વિદ્યમાન થાય છે. જેમકે માટીમાં ઘટ પર્યાય (ઘડાનું સ્વરૂ૫) વર્તમાન. કાળે વિધમાત નથી, પરંતુ અમુક ક્રિયા દ્વારા તેમાં તે પર્યાય ઉત્પન્ન થતી દેખાય છે, તેથી કિયામણને કત કહેવું તે પ્રત્યક્ષ વિરોધાભાસ ૩૫ લાગે છે. તથા લડા આદિના નિર્માણમાં ઘણું જ અધિક ક્રિયાકાળની જરૂર પડે છે. પ્રારંભ કાળે જ ઘરે બની જતો નથી, કે સ્થાસક (ચાક પર માટીના પિડને તાસકને આકાર આપવાના આદિ સમયમાં તેનું નિર્માણ થતું નથી. પરંતુ તેનું નિમૉણ થયું ત્યારે જ દેખાય છે કે જયારે ક્રિયાનું અવસાન ( સમાપ્તિ) થાય છે. આ પ્રમાણે હકીકત હોવાથી કિયાકાળમાં કાર્યો વિદ્યમાન છે એ વાત પર ઝાડા કેવી રીતે મૂકી શકાય? કારણ કે ક્રિયાકાળમાં તે કાય અધિદ્યમાન જ રહે છે, તથી કિયમાથું જે પદાર્થ છે તે ક્રિયાકાળલિબિત ( ક્રિયાકાળ પર આધાર રાખનાર) છે, તેને તેમાં વિદ્યમાન રહેલે કેવી રીતે માની શકાય- તે તે કિયાના અવસાન કાળે જ વિદ્યમાન થાય છે. તેથી જ કહ્યું છે કે વિનમાળ” થી લઈને “ ના એરિય સીણ અહીં આ ચાર ગાથાઓ દ્વારા જે કથન કરવામાં આવ્યું છે, તેને ભાવાર્થ પૂક્તિ રીતે સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ રીતે ક્રિયમાણ આદિને કૃત આદિ રૂપ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૭ ૩
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy