SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ઘણું જ મૂલ્યવાન હતું. વસ્ત્ર પહેરાવીને તેમણે તેને અઢાર સર હાર પહેરા અને નવસરે અર્ધહાર પહેરા. જમાલીના અલંકારનું વર્ણન સૂર્યાભદેવના અલંકારના વર્ણન જેવું જ સમજવું. જેમકે અર્ધહાર પહેરાવ્યા પછી તેમણે તેને એકસરે હાર પહેરાવ્ય, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયૂર, કનક, ત્રુટિક, કટિસૂત્ર, દશમુદ્રિકા, અનંતક, વક્ષઃ સૂત્રક, મુખી, કંઠમુખી, કુંડલ, ચૂડામણિ અને પ્રાલમ્બ પહેરાવ્યાં. વિવિધ પ્રકારના મણિએના હારને એકાવલિ કહે છે. મોતીઓમાંથી જ બનાવેલી માળાને મુક્તાવલિ કહે છે. સુવર્ણ અને મણિ નિર્મિત માળાને કનકાવલિ કહે છે. કર્કેતન આદિ રત્નોની માળાને રત્નાવલિ કહે છે. અંગદ અને કેયૂર, એ બને ભુજાનાં આભૂષણે છે. જો કે અંગદ અને કેયૂર એક જ આભરણ છે, છતાં તેમના આકારમાં તફાવત હોવાથી આકારની અપેક્ષાએ તે બનેમાં ભેદ બતાવવામાં આવેલ છે. કાંડા પર પહેરવા માટે જે આભૂષણ વપરાય છે તેનું નામ કટક છે. બાહુરક્ષિકાને ત્રુટિક કહે છે. કદોરાને માટે અહીં “કટિસત્ર” પદને પ્રવેગ કર્યો છે, અને હાથની દસે આંગળીઓમાં પહેરવાની વીંટીઓને દશમુદ્રિકા કહે છે. બાજુમાં જે દેરો પહેરવામાં આવે છે તેને અનન્તક કહે છે. ગળામાંથી વક્ષસ્થળ સુધી લટકતે જે સેનાને અછેડા પહેરવામાં આવે છે તેને વક્ષસૂત્ર કહે છે. મરજના (મૃદંગના ) આકારના આભરણને મુખી કહે છે. તેને કંઠમાં ધ રણ કરવામાં આવતી હોવાથી કંઠમુખી કહે છે. ઝૂમણાને પ્રાલમ્બ કહે છે અને કાનમાં પહેરવાના ગેળ ગોળ આભરણને કુંડલ કહે છે. લલાટ ઉપર પહેર વાના આભરણને ચૂડામણિ કહે છે. ઉપર્યુક્ત સઘળાં આભરણ પહેરાવ્યા પછી તેમણે અનેક પ્રકારના ઉત્તમ રને જ મુગટ તેને પહેરાવે. " किं बहुणा गथिमवेढिमपूरिमसंधातिमेणं च विहेणं मल्लेणं करें ति" ક્ષત્રિયકુમાર જમાલીનાં આભૂષણોનું અધિક વર્ણન શું કરું ! અતિસંક્ષિપ્ત રૂપે જ અહીં તેનું વર્ણન કરું છું–તેમણે તેને ચાર પ્રકારની માળાએ પહેરાવી. તે ચાર પ્રકારની માળાઓ નીચે પ્રમાણે સમજવી. (૧) ગ્રન્થિમ-દેરીમાં પુને ગૂંથીને બનાવેલી માળાઓ, (૨) વેષ્ટિમ-દેરીમાં પરોવીને બનાવેલી માળાઓ, (૩) પૂરિમ-વાસની સળીઓ ઉપર પુષ્પને પૂરીને બનાવેલી માળાઓ અને (૫) સંઘ તિમ-નાલના સંઘાતનથી એક બીજા પુષ્પોને જોડીને બનાવેલી માળાઓ. આ ચારે પ્રકારની માળાએથી વિભૂષિત કરીને તેમણે ક્ષત્રિયકુમાર જમાલીને કલ્પવૃક્ષ જેવું બનાવી દીધો. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫૩
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy