SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં અને બહુ સમીપ પણ નહીં એવા ઉચિત સ્થાને ભીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું-( સંતાં હે ! રેરા વસતિ, નિરંતર રચા ૩યવસિ?) હે ભદન્ત! નારા સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? (જે ઉત્પત્તિમાં સમયાદિક રૂપ કાળનું વ્યવધાન (આંતરો) પડે છે. તે ઉ૫ત્તિને સાન્તર ઉત્પત્તિ કહે છે. જે ઉત્પત્તિમાં એવું વ્યવધાન (આંતર) પડતું નથી, તે ઉત્પત્તિને નિરન્તર ( લગાતાર ) ઉત્પત્તિ કહે છે.) સાન્તર” અને “નિરતર” આ બને પદે ઉત્પત્તિરૂપ કિયાના વિશેષ છે. મહાવીર પ્રભુનો ઉત્તર-( વા! સંત રફ ઉવવ=તિ, નિર. fપ નેતાયા વારિ ) હે ગાંગેય ! નારકે સમયાદિ રૂપ કાળના વ્યવઘાનથી ( આંતરાથી) પણ ઉત્પન્ન થાય છે અને કાળના વ્યવધાન વિના પણ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય જીવની જે ઉત્પત્તિ થાય છે તે સાન્તર થતી નથી-કારણ કે ઉત્પત્તિમાં વિરહ હતું જ નથી. પ્રતિસમય તેમની ઉત્પત્તિ થતી જ રહે છે, તેથી તેની ઉત્પત્તિ નિરંતર ( લગાતાર) થયા જ કરે છે. અન્ય જીવોની ઉત્પત્તિમાં કાળને આંતરો પડે છે પણ ખરે અને નથી પણ પડતું. તેથી જ પ્રભુએ એવું કહ્યું છે કે નારકની ઉત્પત્તિ સાંતર પણ હોય હોય છે અને નિરંતર પણ હોય છે, ગાંગેય અણગારને પ્રશ્ન–(સતર મને ! બકુરકુમાર ઉવવા તિ, નિરંતર શકુમાર રાવ=તિ ?) હે ભદન્ત ! અસુરકુમારેની ઉત્પત્તિ સાન્તર (કાળના આંતરાવાળી) હોય છે કે નિરંતર (કાળના આંતરા વિનાની) હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ રા” હે ગાંગેય ! (સંતરિ ગgવુમાર ૩૨asmતિ, નિરંતરંથિ સુમરા ૩૦ =તિ ) અસુરકુમારની ઉત્પત્તિ અને પ્રકારે હોવ છે-સાન્તર પણ થાય છે અને નિરન્તર પણ થાય છે. એટલે કે અસુરકુમારની ઉત્પત્તિમાં સમયાદિ રૂપ કાળનું વ્યવધાન (આંતર) પડે છે પણ ખરું અને નથી પણ પડતું. “gવં જાવ વિમારા” એજ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉઠધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, આ નવ ભવનવાસી દેવેની ઉત્પત્તિના વિષયમાં પણ સમજવું. ગાંગેય અણગારને પ્રશ્ન-(સંત મંતે ! પુત્રવિલાયા વાવ =તિ, નિરં. તરં વરકન્નતિ?) ભદન્ત ! પૃથ્વીકાયિક જીવે સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર– ચા ! ” હે ગાંગેય ! (નો પુનિ. દ્વારા વારિ, નિરંતર' પુવિછારૂ વવવ ) પૃથ્વીકાયિક છે શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy