SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાય છે, એટલું જ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રના પાલનનું કાર્ય દુકર છે. આ નિગ્રંથ પ્રવચનનું પાલન કરવાનું કાર્ય તીણ ખડગ આદિનું ઉલ્લંઘન કરવાના કાર્યો જેવું કઠિન છે-એટલે કે તીક્ષણ ખગ્ર આદિનું ઉલ્લંઘન કર. વામાં જેમ છેદાઈ-ભેરાઈ જવાનો ડર રહે છે એ જ પ્રમાણે નિગ્રંથ પ્રવ. ચનના પાલનમાં પણ અત્યંત કષ્ટ વેઠવાને ભય હેવ થી જીવને તેની આરા ધન કરતાં પણ ઘણો જ ભય લાગે છે. તે કારણે નિગ્રંથ પ્રવચનનું પાલન કરવાના કાર્યને ખ ગાદિના ઉલંઘનના કાર્ય જેવું દુષ્કર કહ્યું છે. જેમ દેરડા આદિ વડે બાંધીને કેઈ ઘણી ભારે શિલાને ઉપાડવાનું કાર્ય દુષ્કર ગણાય છે, તેમ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રને ઉપાડવાનું-ધારણ કરવાનું કાર્ય પણ અતિશય દુષ્કર ગણાય છે. નિગ્રંથ પ્રવચનક્ત ચારિત્રનું પાલન કરવાનું કાય તલવારની ધાર પર ચાલવા જેવું કઠણુ છે. આ બધી ઉપમાઓ દ્વારા જમાવીના માતાપિતા તેને એમ સમજાવવા માગે છે કે નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રનું પાલન કરવાનું કામ અતિશય મુશ્કેલ છે. હવે ચારિત્ર પાલનમાં કેવી રીતે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તે બતાવવામાં આવે છે. “नो खलु कप्पइ जाया ! समणाणं निग्गंथाणं आहाकम्मिए त्ति वा १, उद्दे सिएइ वा २, मिस्सज्जाइए वा, ३, अज्झोयरइए वा ४, पूइए वा, ५ कीएइ वा ६, पामिच्चेइ वा ७ अच्छेज्जेइ वा ८, अणिसिटेइ वा ९, अभिहडेइ वा १०, कंतार. भत्तेइ वा ११, दुब्भिक्खभत्तेइ वा १२, गिलाणभत्तेइ वा १३, वदलियाभत्तेइ वा १४ पाहुणगभत्तह वा १५ सेज्जायरपिंडेइ वा १६, रायपिंडेइ वा १७, मूलभोयणेइ वा १८, कंदभोयणेइ वा १९फलभोयणेइ वा २०, बीयभोयणेइ वा २१, हरियभोयणेइ वा २२ " ક્ષત્રિયકુમાર જમાદ્વીના માતાપિતા જમાવીને કહે છે કે “હે પુત્ર! શ્રમણ નિગ્રંથને આધાર્મિક આદિ દેથી દૂષિત થયેલ આહાર ક૫તે નથી. એટલે કે નીચેના ૨૨ દેશમાંથી કોઈ પણ દોષયુક્ત આહાર સાધુને ખાવા ગ્ય ગણાતું નથી. (૧) આધાર્મિક આહાર–“આ સાધુને નિમિત્ત છે”, એ મનમાં વિચાર કરે તેનું નામ “આધા” છે. તે આધાની અપેક્ષાએ ક્રિયા કરવી એટલે કે ષડ જવનિકાયોપમન પૂર્વક સાધુને માટે આહારાદિ બનાવ તેનું નામ આધાકર્મ છે. જે આહાર પાણી આધાકર્મ દષથી દૂષિત હોય છે, એવા આહારપાણને આધાર્મિક આહાર કહે છે. અથવા “સાણામg”ની સંસ્કૃત છાયા “ક ” છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે-“અધેનયન રૂપ કર્મ જે આહારાદિમાં થાય છે, એવા તે ભોજનને અધાર્મિક કહે છે. એ અધાર્મિક આહાર દેનાર તથા લેનાર બનેના સંયમની વિરાધના થતી હોવાથી તેમને નરકગતિમાં જવું પડે છે. (૨) કgિ -શિક: “અમુક સાધુને મારે માટે મેં ભોજન બનાવ્યું છે” આ પ્રકારના ઉદ્દેશપૂર્વક બનાવેલા ભેજનને શિક આહાર કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૩
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy