SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરવા માટે માતાપિતાની અનુમતિ મળતા ક્ષત્રિયકુમાર જમાલિ દીક્ષા અંગીકાર કરે છે. શ્રાવસ્તી નગરી, કેકનામનું ચિત્ય ઉદ્યાન, ચંપા નગરી, પૂર્ણભદ્ર ચિત્ય-ઉદ્યાન નિન્ય પ્રવચન પ્રત્યે જમાલિને અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. “ક્રિયમાણ વસ્તુ અમૃત હોય છે, ” આ પ્રકારને જમાલિ અણગારને મિથ્યાવાદ ભગવાન ગૌતમને જમાલિ અણગારને પ્રશ્ન-“ આ લેક શાશ્વત છે કે અશાશ્વત ? જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? આ પ્રશ્નોને ઉત્તર આપવાની જમાલિ અણગારની અસમર્થતા. શ્રમણ ભગવાન મહાવીર તે પ્રશ્નોને આ પ્રમાણે ઉત્તર આપે છે-“અમુક દૃષ્ટિએ વિચારતા લોક શાશ્વત છે અને બીજી રીતે વિચારતા લોક અશાશ્વત છે” તે કથનની આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે. આ લોક-સંસાર પ્રવાહ રૂપે અનાદિ છે, તેથી દ્રવ્યાર્થિકનયની માન્યતા અનુસાર લેક શાશ્વત છે. તથા પર્યાયાર્થિક નયની માન્યતા અનુસાર લેક અશાશ્વત છે. એ જ પ્રમાણે જીવ પણ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. જીવને એ રીતે શાશ્વત કહેવામાં આવ્યું છે કે તેમાં ચિતન્ય સ્વરૂપને કદી પણ વિનાશ થતો નથી જીવને અશાશ્વત કહેવાનું કારણ એ છે કે નારક આદિ રૂપ જે જે પર્યા છે તે વિનશ્વર (અશાશ્વત) હોય છે. ત્યારબાદ કિવિષિક દેવેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમની સ્થિતિનું વર્ણન, તેમના નિવાસ્થાનનું વર્ણન. પ્રશ્ન-“કયા કમના ઉદયથી જીવ કિવિષિક દેવરૂપે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરનું કથન, તથા શિલ્વિષિક દે મરીને કયાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્નોના ઉત્તર ઋષભદત્તા કે નિર્વાણ કા વર્ણન તેનું સ્ટેof તેનાં વમળ” ઈત્યાદિ– ટીકાઈ–મહાવીર પ્રભુની સમીપે પાંચ મહાવ્રતોની સારી રીતે આરાધના કરવાથી ગાંગેય અણગાર સિદ્ધપદ પ મ્યા. પરતુ કે જીવ અશુભ કમેના ઉદયને લીધે સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકતું પણ નથી. જેમકે જમાલિ. એ જ વાતનું સૂત્રકારે આ તેત્રીસ ૩૩ માં ઉદ્દેશકમાં પ્રતિપાદન કર્યું છે. આ ઉદેશકની પ્રસ્તાવના રૂપે ઝષભદત્ત બ્રાહ્મણ અને તેની પત્ની સુનંદાનું વૃત્તાન્ત આપવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે " तेणं कालेणं तेणं समएणं माहणकुंडगगामे नयरे होत्था-दण्णओ" તે કાળે અને તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. તેનું વર્ણન ચંપા શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૦૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy