SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વરૂપ ધમને બદલે પાંચ મહાવ્રતવાળા ધર્મને અંગીકાર કરીને મહાવીર પ્રભુ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. તેઓ પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત અને સમસ્ત દુખેથી રહિત થઈ ગયા. પૂર્વોક્ત પ્રરૂપણું સાંભળીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનોમાં પિતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે “સેવં મતે તે રે! ”િ ' હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા છે સૂ ૧૯ો છે ગાંગેય સમાપ્ત શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની " પમેયચન્દ્રિકા વ્યાખ્યાના નવમાશતકને બત્રીસમે ઉદ્દેશ સમાપ્ત છે ૯-૩૨ તેતી સર્વે ઉદેશે કા વિષય વિવરણ નવમાં શતકના તેત્રીસમાં ઉદેશાને પ્રારંભ નવમાં શતકના તેત્રીસમા ૩૩ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે– બ્રાહ્મણૂકંડગ્રામમાં ઋષભદત્ત નામને બ્રાહ્મણ અને દેવાનન્દા નામની તેમની પત્ની હતાં હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનું તે નગરને બહુશાલક ચિત્યમાં આગમન. તેમના દર્શન કરવા આવેલી દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારાનું વહેવું. તેનું કારણ પૂછતાં “ પુત્રને જ તેનું કારણ છે,” એવું સમાધાન. અષભદત્ત અને દેવાનંદા પ્રવજ્યા ગ્રહણ કરે છે. એવું કથન. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરનું વર્ણન. ક્ષત્રિયકુમાર જમાલિનું વર્ણન. બ્રાહ્મણકુંડગ્રામમાં બહુશાલક ચૈત્યમાં ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલિની દીક્ષા લેવાની ઈચ્છા. માતાપિતાની અનુમતિ માગવી. પુત્રની દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા જાણીને માતાને દુઃખ થવું. આ વિષયમાં માતાપિતા અને જમાલિને સંવાદ “જીવિત ચપલ છે, મનુષ્ય સંબંધી કામગ અશુચિ છે અને અશાશ્વત છે” ઈત્યાદિ દલીલો દ્વારા જમાલિ માતાપિતાને સમજાવવા પ્રયત્ન કરે છે. “હિરણ્ય, ધન, સંપત્તિ, સામ્રાજ્ય આદિને ઉપભેગ કરો,” એવી માતાપિતા દ્વારા સમજાવટ. “આ હિરણ્ય, ધન, સંપત્તિ આદિ સઘળા પદાર્થો ક્ષણભંગુર છે.” એ જમાલિને ઉત્તર. “નિથ પ્રવચન સત્ય છે પણ તે અત્યન્ત દુષ્કર છે ” એવું માતાપિતાનું કથન. કાયરને માટે જ નિર્ચ9-પ્રવચન દુષ્કર છે, ધીર પુરુષ માટે તે દુષ્કર નથી,” એ જમાલિને ઉત્તર અને દીક્ષા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦૭
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy