SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થવા માટે કર્મોદયને જ કારણરૂપ માનવામાં આવે છે, કેવલીઓમાં પણ કર્મોદયને સદૂભાવ હોવાથી તેમની નરકમાં ઉત્પત્તિ થવાની વાત માનવી પડે એ પ્રસંગ ઉત્પન્ન થશે. તેથી એવું ન બને માટે કર્મગુરુતયા” વગેરે કારણે આપવામાં આવેલ છે. કેવલીઓમાં કર્મોદય હોવા છતાં પણ તે તેમનામાં ગુરુ રૂપે હેતે નથી, તેથી તેમની નરકમાં ઉત્પત્તિ થતી નથી. કર્મોની ગુરુતા હોવા છતાં પણ કેટલીક વખત જીવ નરકમાં ઉત્પન્ન થત નથી, તેથી “વITહમારિયા” આ પદ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે કર્મોને ભાર ઘણું જ અધિક માત્રામાં હોય તે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થનારા જીવના કર્મોને ભાર પરાકાષ્ઠા વટાવી ગયે હોય છે, આ બધી વાત આ વિશેષ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અથવા “ મુહમારા” આ પદ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે કમેનું વજન તેમનામાં સામાન્ય રૂપે હેતું નથી પણ અસામાન્ય થઈ ગયું હોય છે. કારણ કે કેટલીક વખત એવું બને છે કે રૂ વગેરે વસ્તુઓ પ્રમાણમાં વધારે હોવા છતાં તેનું વજન ઓછું હોઈ શકે છે તે વાતની નિવૃત્તિને માટે તેમના કર્મોને ઘણું જ અધિક ભારયુક્ત કહ્યા છે એવાં અતિશય ભારે કર્મોના ભારથી દબાયેલે જીવ અધગતિ રૂપ નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. ઉપર્યુંકત ત્રણ વિશેષણે-“ ર, મારિજાતા, જર્મતમારતા” શુભ કર્મોની અપેક્ષાએ પણ હોઈ શકે છે. અહીં આ વિશેષણો શુભ કર્મોને લાગુ પડતો નથી પણ અશુભ કર્મોને લાગુ પડે છે એ પ્રકટ કરવાને માટે સૂત્રકારે “વહુમા માળ , સુમi મા વિવા , અનુમા FAvi વિવા ” આ પદને પ્રયોગ કર્યો છે તે નારકોના શુભ કર્મોને ઉદય થવાથી તેમને નરકમાં ઉત્પન્ન થવું પડતું નથી પણ અશુભ કર્મોના ઉદયથી જ તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. કર્મોનો ઉદય પ્રદેશની અપેક્ષાએ પણ સંભવી શકે છે, પણ અહીં એવા ઉદયની વાત કરી નથી, અહીં તે વિપાકની અપેક્ષાએ કર્મને ઉદય તેમને થયેલ બતાવ્યો છે. એટલે કે તેમને બદ્ધકર્મોના રસની અનુભૂતિ થતી રહે છે. તે બદ્ધરસાનુ ભૂતિ મન્દ પણ હઈ શકે છે. પરંતુ તેમને એવી મન્દ અનુભૂતિ થતી નથી પણ જેમ તૂબડી આદિને વિપાક જેમ અત્યન્ત અનિષ્ટકારક હોય છે તેમ તેમના બદ્ધકર્મોન જે રસરૂપ વિપાક છે તે અત્યન્ત અનિષ્ટ પ્રકર્ભાવસ્થાવાળો હોય છે. આ બધાં કારણકલાપિના પ્રભાવથી નારકે પિતાની જાતે જ નર કેમાં ઉત્પન્ન થાય છે, “નો ગર તેરવા થવવ7°તિ” ઈશ્વરની શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૦ ૩
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy