SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્કરિણી, દીઘિકા, ગુંજાલિકા (ગોળાકાર પુષ્કરિણ), સરોવર, સરપંક્તિ, સરસરઃ પંક્તિ (મહાસરોવરની શ્રેણી), બિલપંક્તિ, રેવડુત્ર ઇત્યાદિ દેવકુલ, સભા, પાઊ (હવાડા), સ્તૂપ, ખાતિકા, પરિઘ, પ્રાકાર ( દુર્ગ), અટ્ટાલિકા (પ્રાસાદને ઉર્વભાગ–અટારી), ચરિકા (નગર અને દુર્ગને મધ્યવર્તી માર્ગ), દ્વાર, ગોપુર (નગરદ્વાર), તોરણ, “વાસાચ ઘર ઇત્યાદિ ” પ્રાસાદ (રાજભવન), ઘર, શરણ (સ્થાન વિશેષ ), લેણુ (ગૃહ વિશેષ), આપણુ (બજાર), શૃંગાટકાકાર માર્ગ, ત્રિક માર્ગ, ચતુષ્ક માર્ગ, ચત્તર માર્ગ, ચતુર્મુખ માર્ગ અને રાજમાર્ગ, આ બધાં સ્થાન વિશેનો ચૂના દ્વારા, કચરા દ્વારા અને શ્લેષ-વાપના સમુચ્ચય દ્વારા જે બંધ થાય છે, તેને સમુચ્ચય બંધ કહે છે. શ્લેષણ બંધ અને સમુચ્ચય બંધમાં એટલો જ તફાવત છે કે તે બંધની અપેક્ષાએ આ બંધ ચૂના આદિના સમુચ્ચયથી સાધ્ય થાય છે. કલેષણ બંધમાં ચૂના વગેરેના સમુચ્ચયની આવશ્યકતા રહેતી નથી. એટલે કે શ્લેષણુ બંધ બે પદાર્થોને ચટાડવા રૂપ હોય છે અને સમુચ્ચય બંધ કૃપ આદિ પદાર્થોને ચૂના આદિ દ્વારા લીંપવા રૂપ હોય છે. ઉચ્ચય બંધમાં પલાર્થોની રાશિ કરવાની અપેક્ષા રહે છે, સમુચ્ચય બંધમાં રાશિ કરવાની આવશ્યકતા રહેતી નથી. આ સમુચ્ચય બંધ (Gomi સંતોમુહુરં વોરેન સંવર્ગ Rારું-૨ નં મુન્નાદે) ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને અધિકમાં અધિક સંખ્યાતકાળ સુધી રહે છે, ત્યારબાદ તે અવશ્ય નાશ પામે છે. સમુચ્ચ બંધનું આ પ્રકારનું સ્વરૂપ છે. - હવે ગૌતમ સ્વામી સંહનન બંધ વિષે મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે–રે જ રાજા વંધે ?) હે ભદન્ત ! સંવનન બંધનું કેવું સ્વરૂપ છે? એટલે કે તેના કેટલા પ્રકાર છે? મહાવીર પ્રભુને ઉત્તર-(વાળના બે ટુરિ dgar) હે મૈતમ ! સંહનન બંધના નીચે પ્રમાણે બે પ્રકાર છે– Hiઠ્ઠા વધે જ, સવસાણUMાવે છે ૨) (૧) દેશસંહનન બંધ અને (૨) સર્વ સંહનન બંધ કઈ એક વસ્તુના એક દેશ (અંશ)ને બીજી વસ્તુના એક દેશની સાથે આપસમાં સંબંધ થવો, તેનું નામ એક દેશસંહનન બંધ છે. જેમ કે ગાડી આદિના અવયવોમાં એવું બને છે. સર્વ રૂપે બીજા દ્રવ્યની સાથે સંબંધિત થવું તેનું નામ સર્વસંહનન બંધ છે, જેમ કે દૂધ અને પાણીમાં એ બંધ થાય છે. સર્વ સંહનન બંધમાં બને પદાર્થ આપસમાં એક-રૂપ થઈ જાય છે. દેશસંહનનમાં બંધમાં એવું બનતું નથી. એજ વાતનું વધુ સ્પષ્ટીકરણ નીચેના પ્રશ્નોત્તર દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(૨ વિ તે હેતના વંધ) હે ભદન્ત ! દેશસંહનન બંધનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે(देस संहणणा बधे जं णं सगडरहजाणजुग्गगिल्ल थिल्लिसीयसंदमाणिया लोही, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૫
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy