SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય પ્રદેશમાં જ પરિવર્તન થાય છે. તેથી અનાદિ અપર્યવસિત બંધ જીવના આઠ મધ્યપ્રદેશ સિવાયના અન્ય પ્રદેશમાં થતો નથી. તેમની સ્થાપના આ પ્રમાણે સમજવી-3| | તેમની ઉપર બીજા પણ ચાર પ્રદેશ છે, આ રીતે સમુદાયની અપેક્ષાએ આ આઠ પ્રદેશને બંધ પ્રતિપાદિત થયેલ છે. હવે તેમના એક એક પ્રદેશોને પરસ્પર બંધ થાય છે તે વાત પ્રકટ કરવાને માટે સૂત્રકાર કહે છે કે-(તરથ વિ # તિoÉ તિરું સારૂણ, કાલાવરિ, તેના સારા) તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશને એક એક પ્રદેશની સાથે અનાદિ અપર્યવસિત (અનાદિ અનંત) થાય છે. પૂર્વોક્ત રીત પ્રમાણે અવસ્થિત ( શોઠવાયેલા, રહેલા) તે આઠ પ્રદેશમાંથી ઉપરિતન પ્રતરનો જે કઈ એક અમુક પ્રદેશ છે-તે અમુક પ્રદેશને, પિતાની પાસેના બે પ્રદેશોની સાથે અને નીચેના એક પ્રદેશની સાથે-આ રીતે તે ત્રણ પ્રદેશની સાથે અનાદિ અનંત સંબંધરૂપ બંધ છે. ઉપરના એક પ્રદેશની સાથે અને નીચેના ત્રણ પ્રદેશોની સાથે તેને સંબંધ નથી, કારણ કે તેઓ તેનાથી દૂર હોય છે. તેથી તેમની સાથે તેનો સંબંધ છે તે નથી. એ જ પ્રમાણે અધસ્તન ( નીચે લી) પ્રતરની અપેક્ષાએ પણ સમજવું. એજ કારણે ત્રણ ત્રણ પ્રદેશને અનાદિ અનંતરૂપ કહ્યો છે. આ મધ્યમ આઠ પ્રદેશ સિવાયના બીજા જે જીવપ્રદેશો છે તેમનો સાદિ અપર્યવસિત, અથવા સાદિ સપર્થવસિત બંધ હોય છે, કારણ કે તેઓમાં વિપરિવર્તન થાય છે. આ પ્રમાણે પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકાર “અનાદિ સપવસિત રૂપે બીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ કરે છે–અનાદિ સપર્યવસિત રૂપ જે બીજો વિકલ્પ છે તે એ જીના આઠ મધ્યપ્રદેશોમાં સંભવિત થતું નથી, કારણ કે તે આઠ પ્રદેશો અવિપરિવર્તમાન છે, તે કારણે તેમનામાં અપક્ષ સિતતા હોવાને લીધે સપર્યાવસિતતા સંભવી શકતી નથી તેથી અનાદિ અપયંવસિત બંધમાં અનાદિ સપર્યવસિતતા હોતી નથી. હવે સૂત્રકાર ત્રીજા વિકલ્પનું પ્રતિપાદન કરવાને માટે ઉદાહરણ આવે છે (તસ્થ i ? તે જાણ કરવા , તે i સિઢાળ) ઉપર્યુકત ત્રણ વિકલમાંના જે જીવ પ્રદેશને સાદિ અપર્યવસિત જીવ બંધ છે, તે સિદ્ધ જી કરે છે, કારણ કે શૈલેશી અવસ્થામાં સંસ્થાપિત જીવ પ્રદેશોનું સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થયા પછી ફરીથી પર્યવસાન થતું નથી પણ તેઓ જે સ્થિતિમાં હોય એજ સ્થિતિમાં કાયમ રહે છે. તેથી સિદ્ધો દ્વારા જ સાદિ અપર્યવસિત (અનંત) બંધ થાય છે. હવે સૂત્રકાર ચેથા વિકલપનું ભેદરહિત પ્રતિપાદન કરે છે-(તસ્થ જે રે સા સપsઝવણિg, તે જ રવિ gur) ઉપર્યુંકત ચાર વિકલ્પમાંથી જે જીવપ્રદેશને સાદિ સપર્યવસિત બંધ છે, તેના ચાર પ્રકાર છે. (ત જ્ઞા) જે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે ( શાસ્ત્રાવ , વાણિયાવળવે છે, કરી છે, પરીવારંવે) (૧) અલાપનબંધ, (૨) આલીનબંધ (૩) શરીર બંધ અને (૪) શરીર પ્રગબંધ શ્રી ભગવતી સૂત્ર : ૭ ર
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy