SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“રેવા વધે, નો સદવ હે ગૌતમ! ધર્માસ્તિકાય અન્યાદિક વિશ્વસા બંધમાં દેશબંધ થાય છે, સર્વબંધ થતું નથી, કારણ કે ધર્માસ્તિકાયના પ્રદેશે પરસ્પર એક બીજા પ્રદેશને સ્પર્શ કરીને વ્યવસ્થિત રહે છે. તેથી ધર્માસ્તિકાયમાં જે પ્રદેશને અન્ય બંધ માનવામાં આવ્યું છે, તે દેશબંધ રૂપ જ માનવામાં આવ્યા છે. જો તેમાં તે પ્રદેશને બંધ સર્વબંધ રૂપે માનવામાં આવે તે તે ધર્માસ્તિકાયમાં જેટલા પ્રદેશે હોય તે બધા પ્રદેશ અરસ્પરસ–એકબીજાની સાથે સર્વથા અન્તભૂત થઈ જવાને કારણે તે પ્રદેશમાં એકરૂપતા આવી જવાને લીધે એક પ્રદેશતા જ આવી જશે. તેથી એવી પરિસ્થિતિ ઊભી થશે કે ધર્મ દ્રવ્યમાં સિદ્ધાંતકાએ જે અસંખ્યાત પ્રદેશતા કહી છે, તે સંભવી શકશે નહીં. (एवं चेत्र अधम्मत्थिकाय अन्नमन्नअणादीयवीससाबधे वि) मे પ્રમાણે અધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધમાં પણ દેશબંધ જ થાય છે–સર્વબંધ થતું નથી. “gવમા0િ %ાય નમન મારી વિના વધે ”િ અને એ જ પ્રમાણે આકાશાસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધમાં પણ દેશબંધ જ થાય છે. સર્વબંધ થતું નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ધર્મ0િ काय अन्नमन्न अणाईयवीससाबधे ण भते ! कालओ केवचिरं होइ ? ) ભદન્ત ! ધર્માસ્તિકાય અન્યાનાદિક વિશ્વસા બંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સત્રદ્ર” હે ગૌતમ ! ધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધ કાળની અપેક્ષાએ સર્વકાળ રહે છે. “૩૫. સ્થિg ga Triaરિથા” એજ પ્રમાણે અધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધ પણ કાળની અપેક્ષાએ સર્વકાળ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(વીર વધે જે મંતે ! વિષે પUU ?) હે ભદન્ત ! સાદિક વિસસા બંધ કેટલા પ્રકારને કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગતમા ! “તિવિદે વળે સંજ” સાદિક વિસ્ત્રસા બંધના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(જંપાદરા માયાવરણ, પરિણાદા , ) (૧) બંધન પ્રત્યયિક, ભાજન પ્રત્યયિક અને (૩) પરિણામ પ્રત્યયિક. ( aષ્ય અને ર વવનં) આ વ્યુત્પત્તિ પ્રમાણે જેના દ્વારા બંધવામાં આવે તે બંધન છે, એવું બંધન જેનું અગળ કરવામાં આવશે તે સ્નિગ્ધતા આદિ ગુણ છે. તે ગુણે જ જે બંધના કારણરૂપ હેય છે, તે બંધને બંધન પ્રત્યયિક સાદિક વિશ્વસા બંધ કહે છે. ભાજન એટલે આધાર. આ આધાર જે બંધમાં કારણરૂપ હોય છે, તેને ભાજન પ્રત્યયિક સાદિક વિસસા બંધ કહે છે. પરિણામ એટલે રૂપાન્તર પ્રાપ્તિ. તે પરિણામાન્તર શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy