SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ હોય છે. નૈધિકી પરીષહને સમાવેશ ઉપસર્ગ, બાધા અને ભયની અપેક્ષાએ ભયમેહનીયમાં થાય છે. યાચના પરિષહને દુષ્કરત્વની અપેક્ષાએ માનમોહનીયમાં સમાવેશ થાય છે. કોત્પત્તિની અપેક્ષાએ આક્રોશ પરીષહનો માનમોહનીયમાં અને મત્પતિની અપેક્ષાએ સત્કાર પુરસ્કાર પરિષહને પણ માનમોહનીયમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે સાત પરિષહોને સમાવેશ સામાન્ય રીતે ચારિત્ર મોહનીયમાં થાય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સંતરાફg of મંતે ! #મે પરીક્ષા સમોચરિ?” હે ભદન્ત ! અંતરાય કર્મમાં કેટલા પરીષહાને સમાવેશ થાય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “મોચમા ! ” હે ગૌતમ! (ાજે રામ રિલદ્દે સમોચારૂ) અન્તરાય કર્મમાં એક અલાભ પરીષહને જ સમાવેશ થાય છે. અહીં અન્તરાયને લાભાન્તરરાય રૂ૫ સમજવો. કારણ કે લાભાન્તરાયના ઉદય વખતે જ લાભનો અભાવ રહે છે. આ પરીષહ સહવો તે ચારિત્ર મેહનીયના ક્ષપશમ રૂપ હોય છે. હવે સૂત્રકાર બંધસ્થાનની અપેક્ષાએ પરીષહની પ્રરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે – ( સત્તવિવંધn ii મતે ! રુ પરીણg gUUત્તા ?) હે ભદન્ત ! આયુકર્મ સિવાયના સાત કર્મોને બંધ કરનાર જીવના કેટલા પરીષહ કહ્યા છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોરમા ! વાવીસ પત્તા) હે ગૌતમ એવા જીવના ૨૨ બાવીશ પરીષહ કહ્યા છે. પરંતુ (વાં પુજન gફ) તે ૨૦ વીસનું જ વેદના એક સાથે જ કરે છે. કારણ કે (૬ વમાં પીપરીત વેરૂ) જે સમયે તે શીતપરીષહનું વેદન કરે છે, ( તં સમર્થ રજિળપરીક્ષદું વેઇટુ) જે સમયે તે ઉષ્ણપરીષહનું વેદન કરતું નથી, કારણ કે શીત અને ઉષ્ણુતા વચ્ચે પરસ્પર અત્યન્ત વિરોધ હોય છે. તેથી તે બન્નેનું એક સાથે વેદના થવું સંભવિત નથી. તથા ( જયં વણિનારીરહું વેદ) જે સમયે તે ઉણપરીષહનું વેદન કરે છે, (બો તં સમર્થં સચવરત વેદ) તે સમયે શીતપરીષહનું વેદન કરતું નથી. તથા (= સમચં વિચારી g૬, ળો રં સમર્થ નિરીદુચા પીછું વે) જે સમયે ચર્યાપરીષહનું વેદન થાય છે, તે સમયે નૈધિકી પરીષહનું વદન થતું નથી. ( = સમર્થ નિરીણિયા ઘણી વે, જે તે સમયે પરિવારીક વેરૂ) જે સમયે નૈધિકી પરીષ હનું વેદના થાય છે. તે સમયે ચર્યાપરીષહનું વેદન થતું નથી. ગ્રામ, નગર આદિ માં વિચરણ કરવું તેનું નામ ચર્યા છે. નગર, ગ્રામ આદિમાં માસકલ્પ આદિને સ્વીકાર કર્યો હોય એવા સાધુ સ્વાધ્યાય આદિને નિમિત્તે શામાંથી ઉતરીને એકાત ઉપાશ્રયમાં જઈને મર્યાદિત સમય સુધી આસન જમા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૦
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy