SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો વિકલ્પ–અભવ્યને લાગુ પડે છે. અભવ્ય જીવે પહેલાં પણ ઐર્યાપથિક કર્મને બંધ કર્યો હોતો નથી, વર્તમાનમાં પણ તે આ કર્મને બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ તે આ કર્મને બંધ કરશે નહીં. હવે ગ્રહણાકર્ષની અપેક્ષાએ (એક જ ભવમાં એર્યા પથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ આકર્ષની અપેક્ષાએ) કોઈ એક જીવે ભૂતકાળમાં તેને બંધ કર્યો છે, વર્તમાનમાં પણ તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તેને બંધ કરશે, આ પહેલે વિકલ્પ છે (૧)( જ્ઞાવ બાદg a fધી, બંધ, ધિaz) એ જ પૂર્વોક્ત રીતે બાકીના વિકલ્પ બને છે. (૨) કોઈ એક જીવે તેને બંધ કર્યો છે, વર્તમાનમાં કરી રહ્યો છે, અને ભવિષ્યમાં તે તેનો બંધ કરશે નહીં. (૩) કેઈ એક જીવે પૂર્વ તેને (ઐર્યાપથિક કર્મને) બાંધ્યું છે, વર્તમાનમાં તે આ કર્મ બાંધો નથી, ભવિષ્યમાં તે તેને બાંધશે. (૪) કેઈ એક જીવે પૂર્વે તેને બાંધ્યું છે, વર્તમાનમાં તે તેને બાંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં. (૫) કેઈ એક જીવે પૂર્વે આ કર્મ બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે. (જો વેર ન વંધ, રંઘ, ઈંધિa૬ ” કઈ જીવે તે કર્મબંધ બાંધ્યો નથી, બાંધશે નહીં, પણ વર્તમાનમાં બાંધી રહ્યો છે,” આ પ્રકારને છઠ્ઠો વિકલ્પ અહીં બનતું નથી. તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતી વખતે આ બાબતનું કારણ આપવામાં આવશે. () થેનgs = વંધી, વંશ, વંદિત્તર કેઈ જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં ઐયપથિક કર્મને બંધ કર્યો હોતે નથી, વર્તમાનમાં પણ કરતું નથી, પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરશે. (૮) “થેના વંધી, ન વંધ, ર જ રિસરુકેાઈ જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો હતે નથી, વર્તમાનમાં પણ કરતું નથી અને ભવિધ્યમાં પણ કરશે નહીં. પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ –ગ્રહણકર્ષ (એક જ ભવમાં ઐર્યાપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા રૂપ આકર્ષ) ની અપેક્ષ એ ઉપશાન્ત મેહવાળે જીવ જ્યારે ઐયંપથિક કર્મ બાંધીને આ કમને બંધ બાંધે છે, ત્યારે અતીત (ભૂત) કાળની અપેક્ષાએ તે તેને બંધક ગણાય છે, વર્તમાનકાળમાં તે તેને બંધક બની રહે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધક બનશે. બીજો વિકલ્પ કેવલીની અપેક્ષાએ આપે છે. કેવલીએ અપથિક કર્મ તે ભૂતકાળમાં બાંધ્યું હેય છે, વર્તમાનમાં પણ તેઓ તે કર્મ બાંધે છે, પણ ભવિષ્યમાં શૈલેશ અવસ્થામાં તેઓ તેને બાંધશે નહીં. તૃતીય વિકલ્પ એ બતાવે છે કે પૂર્વ ઉપશાન્ત મેહની દશામાં જીવે ઐયંપથિક કર્મને બંધ કર્યો હતો, પણ વર્તમાનકાળે તે ઉપશાન્ત હવાને રહ્યો નથી (તેમાંથી પ્રયુત થઈ ગયું છે) તેથી વર્તમાનમાં તે જીવ તે બંધ કરતું નથી, પણ એ જીવ ફરીથી એજ ભવમાં જ્યારે ઉપશમ શ્રેણીએ ચડી જશે ત્યારે તેને બંધ કરવા માંડશે. ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વાર થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy