________________
આ બધાં વિકલ્પને ભાવાર્થ નીચે પ્રમાણે છે–પહેલા વિકલ્પમાં જે જે વાત કહેવામાં આવી છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે–કોઈ એક અવેદક જીવ કે જેને પૂર્વભવમાં મેહ ઉપશાંત થઈ ગયે હતે તેણે તે સમયે ત્યાં ઐયપથિક કર્મને બંધ કર્યો હતો, અને વર્તમાનકાળે પણ જે તેની અંદર મેહની ઉપશાન્તતા હોય, તે તે વર્તમાન સમયે પણ તેને બંધ કરતે હેય છે, અને ભવિષ્યમાં પણ મોહની ઉપશાન્તતા રહે છે ત્યારે પણ તે તેને બંધ કરશે.
બીજા વિકલ્પને ભાવાર્થ–પૂર્વભવમાં કે અવેદક જીવે મેહની ઉપશાન્ત અવસ્થામાં ૧૧ મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તે ત્યારે તેણે ઐયપથિક કમનો બંધ કર્યો હોય છે, હવે એજ જીવ વર્તમાનભવમાં ૧૨ માં થીણમાહ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને મેહની ક્ષીણતાવાળો ચાલુ રહ્યો છે–એવી સ્થિતિમાં વર્તમાનમાં પણ તે ઐયપથિક કર્મને બંધ કરે છે. પણ જ્યારે એજ જીવ ભવિષ્યમાં શૈલેશી અવસ્થાએ પહોંચી જશે, ત્યારે તે ઐર્યાપથિક કર્મ બાંધશે નહીં.
ત્રીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ–કે અવેદક જીવે પૂર્વભવમાં મોહ ઉપશાન્ત થઈ જવાથી ઐયપથિક કર્મને બંધ કર્યો હતો, પણ તે ૧૧ માં ગુણ - સ્થાનેથી નીચે ઉતરી જવાને લીધે વર્તમાનકાળે તેને બંધ કરતે નથી, અને જે તે ભવિષ્યકાળમાં ઉપશાન્ત મહવાળ થશે તે તે તેને બંધ કરશે.
ચાથા વિકલપનું સ્પષ્ટીકરણ-અવેદક જીવ જ્યાં સુધી શૈલેશી અવસ્થાવાળ થ ન હતું ત્યાં સુધી તેણે ઐર્યા પથિક કર્મને બંધ કર્યો હતેશલેશી અવસ્થામાં આવી જવાથી હવે તે તેને બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે નહીં.
પાંચમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ–પૂર્વભવમાં કોઈ એક જીવ મોહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી શક ન હતું, તેથી ત્યારે તેણે એર્યાપથિક કમને બંધ કર્યું ન હતું, પણ વર્તમાનભવમાં તેણે મેહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી લીધી છે, તેથી તે વર્તમાનમાં તે આ કમને બંધ બાંધી રહ્યો છે. અને ભવિષ્યમાં પણ મોહની ઉપશાન્તતા રહેવાથી તે આ કર્મને બંધ કરશે.
છઠ્ઠા વિકલ્પનું સ્પષ્ટીકરણ–કોઈ અવેદક જીવે પૂર્વભવમાં ક્ષીણમહત્વની પ્રાપ્તિ કરી ન હતી, તેથી ત્યારે તેણે આ કર્મને બંધ કર્યો ન હતે, વર્તમાનભવમાં તેને ક્ષીણ મહત્વની પ્રાપ્તિ થઈ રહી છે, તેથી તે વર્તમાનમાં તેનો બંધ કરી રહ્યો છે, પણ ભવિષ્યમાં જ્યારે એ જ જીવ શૈલેશી અવસ્થાએ ચડી જશે, ત્યારે તે તેને બંધ કરશે નહીં.
સાતમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ–ભવ્ય જીવને આ વિકલ્પ લાગુ પડે છે. ભય જીવે અનાદિ કાળથી અત્યાર સુધી તેને બાંધ્યું નથીઅત્યારે પણ તે તેને બાંધતો નથી, ભવિષ્યકાળમાં જ્યારે તે ઉપશાન્ત મહાદિવાળી અવસ્થાવાળો થઈ જશે, ત્યારે તેને બંધકર્તા થઈ જશે.
શ્રી ભગવતી સૂત્ર : ૭