SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) “ વંધી, ને વંધરૂ, વિરૂ” શું ભૂતકાળમાં તે બંધ કે જીવે બાંધ્યો નથી? શું એજ જીવ વર્તમાનમાં તેને બાધ નથી? શું તે ભવિ. ધ્યમાં તેને બાંધશે ? (૮) ( ર વંધી, ન સંઘરૂ, ૧ ચંધિત) શું ભૂતકાળમાં કઈ જીવે તે બંધ બાંધ્યા નથી, વર્તમાનમાં બાંધતું નથી અને ભવિષ્યમાં એ જીવ તેને બાંધશે પણ નહીં? આ પ્રમાણે આઠ પ્રશ્નરૂપ વિક છે. તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“નોરમા ! મારિ પપુર રાફર વંધી, વરૂ, પંધિત” હે ગૌતમ ! ભવાકર્ષની અપેક્ષાએ કે એક જીવે અર્યાપથિક કર્મ બાંધ્યું છે, તે બાંધે છે અને તે બાંધશે. ( અનેક ભામાં ઉપશમશ્રેણી આદિની પ્રાપ્તિથી અર્થપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ ભવાકર્ષ છે) આ ભવાકર્ષની અપેક્ષાએ જે કોઈ જીવે પહેલાં ચિર્યાપથિક કર્મ બાંધ્યું હોય છે, એ જ છ વર્તમાનમાં પણ તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે. આ પહેલે વિકલ્પ છે. (ા રંગ જેવ સવું રાજ કલ્યાણ fધી, જંપ, 7 વિદ” એજ પ્રમાણે પ્રશ્ન સૂત્રોમાં બતાવ્યા પ્રમાણે બીજો વિકલ્પ પણ સમજી લેવા. આઠમો વિકલ્પ આ પ્રમાણે સમજ --“કેઈ એક જીવે ઐર્યાપથિક કર્મ ભૂતકાળમાં બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધતે નથી અને ભવિષ્યમાં પણ બાંધશે નહીં. ” અહીં પહેલે અને આઠમે વિકલ્પ આપવામાં આવ્યું છે બાકીના છ વિકલ્પ પ્રશ્ન વાક્ય ઉપરથી સમજી લેવાના છે, તેથી જ સૂત્રકારે “ઘ તે જે ” એજ પ્રમાણે બાકીનું સમસ્ત કથન સમજવું, એમ કહ્યું છે. હવે તે આઠ વિકલ્પ નીચે આપવામાં આવે છે – (૧) ભૂતકાળમાં જે જીવે ઐયંપથિક કર્મ બાંધ્યું છે તે વર્તમાનમાં પણ તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે. (૨) જે જીવે ભૂતકાળમાં એર્યાપથિક કર્મને બંધ કર્યો હોય છે, તે વર્તમાનમાં તેને બંધ કરે છે અને ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે. (૩) જે જીવે ભૂતકાળમાં તેને બંધ કર્યો છે, તે જીવ વર્તમાનમાં તેને બંધ કરતા નથી અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે. (૪) કેઇ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેનો બંધ કર્યો છે, પણ વર્તમાનમાં કરતું નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. (૫) કોઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનકાળમાં એજ જીવ તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે. (૬) કેઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનમાં તેને બંધ કરે છે પણ ભવિષ્યમાં તેને બંધ કરશે નહીં. (૭) કેઈ એક જીવ એ હોય છે કે જે ભૂતકાળમાં તેને બંધ કરતે નથી, વર્તમાનમાં પણ કરતા નથી પણ ભવિષ્યમાં તેને બંધ કરશે (૮) કેઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનમાં પણ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy