SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા ભવનમાં હોય છે. તિર્યકમાં તે 15 કર્મભૂમિમાં હોય છે અને સહરણની અપેક્ષાએ તે અઢી દ્વીપમાં અને અઢી દ્વીપમાંના બે સમુદ્રોના કઈ એક ભાગમાં હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે મંતેgir #gf વાચા હોગા ?) હે ભદન્ત ! થવા સમુત્પન્ન કેવલજ્ઞાની એક સમયમાં કેટલા થઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જોયા! કoળે વો વા, રો વા, સિન્નિ ના વોરેન બફૂલચં) હે ગૌતમ ! એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ શ્રવા સમુત્પન્ન કેવલી થઈ શકે છે અને વધારેમાં વધારે 108 સુધી થઈ શકે છે. (से तेणटेणं गोयमा ! एवं बुच्चइ, सोच्चाणं केवलिस्स वा जाव केवलि જાતિવાદ વા વાર નgg વિના ૪criડેના) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કેઈ જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક પાસે અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યાની કોઈ વ્યક્તિ પાસે કેવલી પ્રજ્ઞસ ધર્મ શ્રવણ કરીને શ્રવણજ્ઞાન ફલરૂપે તેને (કેવલિ પ્રજ્ઞસ ધર્મને) પ્રાપ્ત કરી શકે છે-જાણી શકે છે, શુદ્ધ સમ્યક્ત્વરૂપ બોધિને અનુભવ કરી શકે છે, અણગારાવસ્થા ધારણ કરી શકે છે, શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે, શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે, શુદ્ધ સંવર દ્વારા આસનો નિરોધ કરી શકે છે, શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને ઉત્પન્ન (પ્રામ) કરી શકે છે. પરંતુ કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે કેવલી પ્રકૃતિ ધર્મને શ્રવણ કરવા છતાં પણ શ્રવણજ્ઞાન ફળ રૂપે તેને પ્રાપ્ત કરી શકતા નથી, શુદ્ધ બેધિને અનુભવ કરી શકતું નથી, શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતું નથી, શુદ્ધ સંયમ દ્વારા સંયમની યતના કરી શકતા નથી, શુદ્ધ સંવર વડે શુભ સંવર વડે અધ્યવસાય વૃત્તિરૂપ સંવર કરી શકતો નથી, શુદ્ધ આભિનિધિક જ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. હવે ભગવાનનાં વચનને પ્રમાણભૂત માનીને તેમનાં વચનોમાં પિતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં ગૌતમ સ્વામી કહે છે-“રેવં મંતે ! સેવં મતે ! ત્તિ” હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિ પાદન કર્યું તે સત્ય છે આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું–નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. જૈનાચાર્ય શ્રી ઘાસલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચચન્દ્રિકા વ્યાખ્યાના નવમાં શતકને ૩૧મે ઉદ્દેશક સમાપ્ત 9-31 શ્રી ભગવતી સૂત્ર : 7 273
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy