SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સવળવાણ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈ જીવ કેવલી પાસેથી અથવા તેમની ઉપસિકા પર્યન્તની કઈ વ્યકિત પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મને ઉપદેશ શ્રવણ કર્યા વિના પણ કેવળ ધર્માનુરાગથી પ્રેરાઈને સેવેલા ધર્મ દ્વારા પણ ધર્મશ્રવણના જેવું જ ફળ પ્રાપ્ત કરી લે છે અને કઈ એવું ફળ પ્રાપ્ત કરી શકતું નથી? મહાવીર પ્રભુને ઉત્તર—“કરણ નાખવાળિજ્ઞા વર્ગ ઘોરણમે कडे भवइ, सेणं अस्रोच्चा केवलिस्स व। जाव तपक्खियउवासियाए वा केवलि. પન્નાં ધર્મ મેકના સઘળા” હે ગૌતમ ! જે જીવના જ્ઞાનાવરણીય કર્મોને ( જ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિને) ક્ષપશમ થયે હોય છે (કેટલાક સર્વઘાતિ સ્પદ્ધ કેને સદવસ્થારૂપ-સત્તારૂપ અથવા અસ્તિત્વરૂપ ઉદયભાવી ક્ષય અને કેટલાક સર્વઘાતિ સ્પદ્ધકોને (કમવર્ગને) સદવસ્થારૂપ (સત્તારૂપ) ઉપશમ અને દેશવાતિ સ્પદ્ધકોને ઉદય થાય છે) તે જીવ કેવલી પાસેથી અથવા કેવલીના શ્રાવક પાસેથી અથવા તેમના પક્ષની ઉપસિકા આદિ પાસેથી ધમે. પદેશ સાંભળ્યા વિના પણ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ-જ્ઞાનરૂપ ફલ દ્વારા પ્રાપ્ત કરી લે છે. અહીં જે “જ્ઞાનાવાળીયાનાં જળાં આ બહુવચનને પ્રયોગ કર. વામાં આવે છે તેના દ્વારા મતિજ્ઞાનાવરણીય આદિના ભેદથી તથા અવગ્રહમયાવરણાદિના ભેદથી અનેક પ્રકારના સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે એવું સૂચિત થાય છે. અહીં જે તેમના ક્ષપશમની વાત કરવામાં આવી છે તે ક્ષપશમને સંબંધ મતિજ્ઞાનાવરણાદિની સાથે જ અહીં ગ્રહણ કરે જોઈએ—અને તેમને જ ક્ષયોપશમ અહીં ગ્રહણ થ જોઈએ. જ્ઞાનાવરણમાં જે કેવલજ્ઞાનાવરણ છે તેના ક્ષપશમરૂપ કથન કરવું જોઈએ નહીં, કારણ કે તેને ક્ષયે પશમ થતું નથી. તે સર્વઘાતિ પ્રકૃતિ હોવાથી તેને સર્વથા ક્ષય જ ગ્રહણ કરે જોઈએ અને તેને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ક્ષયોપશમમાં આવારક કમને સર્વથા અભાવ રહેતો નથી, પણ તેને અંશતઃ સદ્ભાવ રહે છે. પરન્તુ કેવલજ્ઞાનને આવરણ કરનારા કેવલજ્ઞાનાવરણમાં એવી વાત સંભવિત નથી, કેવલજ્ઞાનાવરણીય કમને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૩
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy