SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાદન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. “અવધિજ્ઞાનીમાં ક ઉપયોગ હોય છે ? એ પ્રશ્ન અને તેનો ઉત્તર. અવધિજ્ઞાનીના સંહનન, સંસ્થાન આદિનું કથન. અવધિજ્ઞાનીની ઊંચાઈ, અને તેના આયુષ્યનું કથન. અવધિજ્ઞાની વેદસહિત હોય છે એવું કથન. પુરુષવેદમાં વર્તમાન હવાનું અને પુરુષ નપું. સક વેદમાં વર્તમાન હવાનું કથન. અવધિજ્ઞાની કષાયયુક્ત હોય છે એવું કથન. તે સંજવલન ક્રોધાદિ કષાયવાળો હોય છે એવું કથન. અવધિજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય હોય છે, અને માત્ર પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે એવું કથન. નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય, આ ભવમાંથી તેઓ છૂટી જાય છે એવું કથન. તેમના અનન્તાનુંબંધી આદિના શયનું કથન. અશ્રુત્વા કેવલી (જેણે કેવલીની દેશના સાંભળી નથી એ છવ) ધર્મોપદેશ કરતું નથી, પ્રવ્રયા દેતે નથી, પણ સિદ્ધ થઈ જાય છે. અશ્રવા કેવલી ઊર્વલોકમાં, અલકમાં અને તિયકમાં હોય છે. ઉદર્વકમાં તે વૃતાઢયમાં હોય છે. અલેકમાં તે અધલકવતી ગ્રામાદિકમાં હોય છે. અને તિર્યકની પંદર કર્મભૂમિમાં તે હોય છે એવું કથન, “એક સમયમાં કેટલા કેવલી થાય છે,” એ પ્રશ્ન અને તેને ઉત્તર. કેવલી આદિની પાસે ઉપદેશ સાંભળીને કઈ જીવ કેવલિ પ્રજ્ઞસ ધર્મની પ્રાપ્તિ કરે છે અને કોઈ જીવ તેની પ્રાપ્તિ કરતું નથી એવું કથન. કેવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળીને સમ્યગ્દર્શનવાળો જીવ અવધિજ્ઞાન આદિની પ્રાપ્તિ કરે છે, એવું કથન. તેની લેશ્યાઓનું કયન. તે જ્ઞાનવાળે, વેગવાળો, વેદવાળે અને ઉપશાન્ત દવાળે અથવા ક્ષીણ વેદવાળો હોય છે કે નહીં, એવા પ્રશ્નો અને તેના ઉત્તરનું કથન કેવલી આદિની પાસે ધર્મોપદેશ શ્રવણ કરીને ધમપ્રાપ્તિ કરના જીવ કયા વેદવાળા હોય છે? તેમના કષાયોની ઉપશાન્તતા કે ક્ષીણતા હોય છે ખરી? તેઓ કેટલા કષાયાવાળા હોય છે ? તેમના અધ્યવસાય કેટલા હોય છે ? તેઓ ધર્મોપદેશ કરે છે કે નહીં ? તેઓ દીક્ષા દે છે કે નહીં ? તેમના શિષ્ય અને પ્રશિયે દીક્ષા દે છે કે નથી દેતા? તેઓ સિદ્ધ થાય છે કે નહીં? તેમના શિષે સિદ્ધ થાય છે કે નહીં ? તેમના પ્રશિ સિદ્ધ થાય કે નહીં? આ પ્રશ્નો અને તેના ઉત્તરોનું પ્રતિપાદન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy