________________
ઇકતીસર્વે-ગક્ષક્ષસ વિષય વિવરણ
નવમા શતકનો એકત્રીસમો ઉદ્દેશક આ નવમાં શતકના ૩૧ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયોનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-કેવલી આદિની પાસે ધર્મનું શ્રવણ કર્યા વિના જીવને શું ધર્મજ્ઞાન થઈ શકે છે? આ પ્રશ્ન અને તેનો ઉત્તર. “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવને બધિરૂપ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ થાય છે ? ” આ પ્રશ્ન. ઉત્તર-“થાય છે પણ ખરે અને નથી પણ થતો.” આ પ્રકારને ઉત્તર અને તેના કારણનું કથન “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવ પ્રત્રજ્યા લે છે ? ” આ પ્રકારનો પ્રશ્ન “ પ્રવ્રજ્યા લે છે પણ ખરો અને નથી પણ લેતે.” એ ઉત્તર અને તેના કારણનું કથન. “કેવલી આદિની પાસે દેશના શ્રવણ કર્યા વિના શું જીવ બ્રહ્મચર્ય પાળે છે ખરો ?” આ પ્રશ્ન. “ પાળે છે પણ ખરો અને નથી પણ પાળતો ” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જવ સંયમી થાય છે ખરો ?” એ પ્રશ્ન થાય છે પણ ખરે અને નથી પણ થતે ” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. એજ પ્રમાણે સંવર થવા વિષેને પ્રશ્ન. “થાય છે પણ ખશે અને નથી પણ થત” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. એવા જીવને આભિનિબેધિક જ્ઞાન થાય છે પણ ખરું અને નથી પણ થતું. આમ બનવાના કારણનું પ્રદર્શન. એજ પ્રમાણે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શુદ્ધ સમ્યકત્વને અનભવ, આદિની પ્રાપ્તિ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના જીવ કરી પણ શકે છે અને નથી પણ કરી શકો. આ પ્રમાણે કહેવા માટેના કારણનું કથન. કેવલી આદિનાં વચન શ્રવણ કર્યા વિના પણ કોઈ જીવ સમ્યકત્વ આદિને સ્વીકાર કરે છે એવું પ્રતિપાદન વિભળજ્ઞાનની ઉત્પત્તિ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, ચારિત્રની સ્વીકૃતિ, અવધિજ્ઞાનની ઉત્પત્તિ, અવધિજ્ઞાનીની લેશ્યાઓ, અવધિજ્ઞાનીના જ્ઞાને તથા અવધિજ્ઞાની વિષયક મનેયેગી આદિ લેવાના કથનનું
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૧૮