________________
૧૪, ૧૪ હજાર શાખાઓ છે. આ ચારે નદીઓની સાથે સંગમ પામતી કુલ પ૬૦૦૦ નદીઓ છે. હૈમવત ક્ષેત્રમાં રોહિત અને હિતાંશા નામની બે મુખ્ય નદીઓ છે હૈરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા નામની બે મુખ્ય નદીઓ છે. આ બન્ને ક્ષેત્રની ચાર મુખ્ય નદીઓને ૨૮, ૨૮ હજાર નદીઓ મળે છે. આ રીતે તેમની પરિવાર નદીઓની કુલ સંખ્યા ૧૧૨૦૦૦ થાય છે. હરિવર્ષ ક્ષેત્રમાં હરિ અને હરિકાન્તા, રમ્યક વર્ષમાં નરકાન્તા અને નારીકાન્તા નદીએ મુખ્ય છે. તે દરેકની પરિવાર નદીઓની સંખ્યા ૫૬-૫૬ હજાર છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાદા નામની મુખ્ય નદીઓ વહે છે. તે દરેકની પરિવાર નદીઓ (શાખા) ની સંખ્યા ૫૩૨૦૦૦ છે આ દરેક ક્ષેત્રની જે બબ્બે નદીઓ કહી છે તેમાંની પહેલી નદી પૂર્વ સમુદ્રને મળે છે અને બીજી નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ રીતે જંબદ્વીપની નદીઓની કુલ સંખ્યા ૧૪૫૬૦૦૦ થઈ જાય છે. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિના જંબુદ્વીપના વર્ણ નનું કથન અહીં સુધી ગ્રહણ કરવું જોઈએ. “સેવં અંતે ! વૅ મંતે! રિ” મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત માનીને ગૌતમ સ્વામી તેમને કહે છે કે હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા. તે ૧ છે શ્રી જૈનાચાર્ય જૈનનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતીસૂત્ર ” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાને નવમા
શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત
જમ્બુદ્વીપમેં ચન્દ્રસૂર્યાદિ જ્યોતિષ્ક કા કથન
નવમાં શતકનો બીજો ઉદ્દેશકઆ નવમાં શતકના બીજા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ જબૂદ્વીપમાં, લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલેદ સમુદ્રમાં, પુષ્કરદ્વીપમાં, આભ્યન્તર પુષ્કરાર્ધમાં અને પુષ્કરોદ સમુદ્રમાં ચન્દ્રપ્રકાશ વિષયક વક્તવ્યતા.
જબૂદ્વીપમાં ચન્દ્રાદિ તિષ્ક સંબંધી વક્તવ્યતા– “સાત્તિ કાર પત્ર વાણી” ઈત્યાદિ–
સૂત્રાર્થ–(રાષેિ કવિ ' વચાતી) “રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, આ કથનથી શરૂ કરીને ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૦૮