SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સાથેના સદભાવ વિષયક કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મની સાથે પણ વેદનયથી અતરાય પર્યન્તના કામે નું કથન સમજવું. આ રીતે દર્શનાવરણીય કર્મના અન્ય છ કર્મો સાથેના સંબંધ વિષયક આલાકે જ્ઞાનાવરણીય સાથેના તેમના સંબંધ વિષયક આલાપ જેવાજ છે એમ સમજવું. જ્ઞાનાવરણીય સાથેના તેમના સંબંધનું કથન તે આગળ આપવામાં આવ્યું છે. હવે સૂત્રકાર વેદનીય કમની પ્રરૂપણ બાકીનાં પાંચ કર્મો સાથે કરે છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન—(sણ માં મેતે ! વેળss તણું મોળિકા, કરસ મોળિસરસ રેણિકા) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં શું મોહનીય કર્મનો પણ સદુભાવ હોય છે? અને જે જીવમાં મેહનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય ફર્મનો પણ સદૂભાવ હોય છે? भ७० મહાવીર પ્રભુને ઉત્તર–“જો !” હે ગૌતમ! એ કેઈ નિયમ નથી કે જે જીવમાં વેદનીય કર્મને સદ્ભાવ હોય તે જીવમાં મેહનીય કમને પણ સદૂભાવ જ હોય, કારણ કે કેવલી ભગવાનમાં વેદનીય કમને સદ્ભાવ તે જોવામાં આવે છે પણ તેમનામાં મહનીય કર્મને સદ્ભાવ જણાતું નથી. પરંતુ ક્ષીણ મેહવાળા વીતરાગ સિવાયના જીવમાં વેદનીય કર્મની સાથે મોહનીય કર્મને પણ સદ્દભાવ જોવામાં આવે છે. આ રીતે વેદનીયની સાથે મેહનીય કર્મને સદૂભાવ કયારેક હોય છે અને ક્યારેક હેતે નથી. એજ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા વ્યક્ત કરી છે-(કરણ વેજિજ્ઞ તરત મોળિયા સિસ અરિજ, હિય નહિથ) પરન્ત (મોડક તણ વેચનિ' નિયમ સ્જિ) એ નિયમ તે જરૂર છે કે જે આત્મામાં મેહનીય કર્મને સદૂભાવ હોય છે, તે આત્મામાં વેદનીય કમને પણ અવશ્ય સદૂભાવ હોય છે. એજ વાત સૂત્રકારે “શીનમો હિ વેનીä મોનીä રાતિ સીન જો ત વે વરમતિ મોની રાતિ) આ પંક્તિ દ્વારા સ્પષ્ટ કરી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(કa i મતે ! વેવળિ તરણ સાવચં. ઈત્યાદિ) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કર્મને પણ સદૂભાવ હોય છે ? અને જે જીવમાં આયુષ્ય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને પણ સદ્ભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(ઘઉં પાન પત્ત નિયમ) હે ગૌતમ ! આ બનને કર્મોને પરસ્પર સાથે નિયમથી જ સંબંધ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કમને પણ અવશ્ય સભાવ હોય છે અને જે જીવમાં આયુષ્ય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં વેદનીયને પણ અવશ્ય સદ્ભાવ હોય છે. વેદનીય, આયુ, નામ અને ગોત્ર, આ ચાર અઘાતિયા કર્મ છે. તે ચારેને એક બીજાની સાથે સંબંધ હેવામાં કેઈપણ ભાષા (મુશ્કેલી) નડતી નથી. કેવલી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૮
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy