________________
દસ પૂર્વધારીનું જ્ઞાન અને નવ પૂર્વધારીનું જ્ઞાન ગણાય છે. આ પ્રકારના આગમજ્ઞાનથી ચાલતો એ મેક્ષાભિલાષી જીવને જે પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપે વ્યવહાર છે, તે વ્યવહારનું નામ આગમ વ્યવહાર છે. આચારાંગ આદિ શ્રત ગણાય છે. જો કે નવ આદિ પૂર્વેમાં પણ શ્રતત્વ છે પરંતુ તેઓ અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં વિશિષ્ટ રૂપે હેતુરૂપ હોવાને કારણે સાતીશય માનવામાં આવ્યા છે તેથી તેમનામાં શ્રતને વ્યપદેશ ન થતાં, કેવલજ્ઞાનની જેમ આગ. મનો વ્યપદેશ થયો છે. શ્રુતજ્ઞાનથી પ્રવર્તિત થયેલા મેક્ષાભિલાષી જીવનો ૨ પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહાર છે, તે વ્યવહારને શ્રુત-વ્યવહાર કહે છે. કેઈ ગીતાર્થ સાધુએ (છેદ સૂત્રને જાણકાર) અતિચારોની આલોચના કરવાને માટે પિતાના અગીતાર્થ શિષ્યની સાથે બીજા દેશમાં રહેતા ગીતાર્થ સાધુની પાસે ગૂઢ અર્થવાળા પદ મોકલ્યાં–તે ગૂઢાર્થ પદના જાણકાર ગીતાર્થ સાધુએ તે ગુઢાર્થ પદે દ્વારા અતિચાર જાણીને તેમની શુદ્ધિને માટે પ્રાયશ્ચિત્ત મોકલી દીધું. તે આ રીતે મેકલવામાં આવેલા તે પ્રાયશ્ચિત્તને આજ્ઞા-વ્યવહાર કહે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરીને ગીતાર્થ સાધુએ અમુક દેષ કરનારને અમુક પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. હવે તે પ્રાયશ્ચિત્તની ધારણ કરીને એજ પ્રકારના એવા બીજા દેષ કરનારને એજ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવું તેનું નામ ધારણા-વ્યવહાર છે. અથવા કઈ ગુરુ પિતાના શિષ્ય સાધુને છેદ સૂત્ર શીખવાને અસમર્થ માનીને તેને પ્રાયશ્ચિત્ત પદ શીખવે છે, તે તે પ્રાયશ્ચિત્ત પદને ધારણ કરવું, તેનું નામ ધારણ વ્યવહાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ શારીરિક બલાબલને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય તેને જીતવ્યવહાર રૂપ માનવામાં આવે છે. અથવા અનેક ગીતાર્થ સાધુઓની સાથે ચર્ચા વિચારણા કરીને પ્રવર્તિત કરવામાં આવેલ જે પ્રાયશ્ચિત્તને વ્યવહાર છે, તે વ્યવહારને પણ જીતવ્યવહાર કહે છે. આ પાંચ પ્રકારના જે વ્યવહાર બતાવવામાં આવ્યા છે તેમાં પૂર્વ પૂર્વના (આગળના) વ્યવહારોમાં બલવત્તરતા અને ઉત્તર ઉત્તરના વ્યવહારમાં ન્યૂનબળતા છે. એજ વાતને સ્પષ્ટ કરીને તેમના ઉપગની પદ્ધતિ સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરે છે (કા રે તત્વ રામે સિયા, જમેળ વવાર ગા) પાંચ પ્રકારના વ્યવહારમાંથી વ્યવહાર કર્તા પાસે જે કંઈ પણ આગમ હોય તેની મદદથી પ્રાયશ્ચિત્ત દેવાને પ્રસંગ આવે ત્યારે અથવા વ્યવહર્તવ્ય વસ્તના વિષયમાં તેણે પિતાનો વ્યવહાર ચલાવવું જોઈએ. પૂર્વોક્ત પાંચ પ્રકારના આગમમાંથી જે તેની પાસે કેવલ-જ્ઞાનરૂપ આગમ હોય, તો તેના દ્વારા તેણે તે પ્રકારને વ્યવહાર ચલાવો જોઈએ, કારણ કે કેવળજ્ઞાન અબબ બેધક હોય છે. જે વ્યવહર્તાની પાસે કેવળ-જ્ઞાનરૂપ આગમ ન હોય, પણ મનઃપર્યય-જ્ઞાનરૂપ આગમ હેય, તે તેણે તેના દ્વારા તે પ્રકારને પિતાનો વ્યવહાર ચલાવવું જોઈએ આ રીતે પ્રધાનતર આગમને અભાવે ઉત્તરોત્તર અપ્રધાન આગમથી વ્યવહાર ચલાવવાની પુષ્ટિ નીચેના સૂત્ર દ્વારા કરવામાં આવી છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭