SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવ્યું છે, તે હવે સૂત્રકાર નીચે પ્રમાણે ઉત્તરરૂપે પ્રકટ કરે છે ( જોયા) હે ગૌતમ ! “ણિય 8, વિચ , હિર ારું, fસર દવા , રૂશ્વરે ૨) પુતલાસ્તિકાયના બે પ્રદેશ અમુક દૃષ્ટિએ વિચાર કરતા એક દ્રવ્યરૂપ છે, અને અમુક દષ્ટિએ વિચાર કરતા દ્રવ્યદેશ રૂપ પણ છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું-જ્યારે પુલાસ્તિકાયના બે પ્રદેશ ઢિપ્રદેશિક સ્કન્વરૂપે પરિણમે છે, ત્યારે એ સ્થિતિમાં તેઓ ગુણ પર્યાયવાળા એક દ્રવ્યરૂપ થઈ જાય છે. તથા દ્રયણુક (બે અણુવાળા) સ્કન્વરૂપે પરિણમેલા તે બે પ્રદેશો જ્યારે અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે ( તે પરિસ્થિતિમાં ) તેઓ એક દ્રવ્યદેશરૂપ થઈ જાય છે. તથા જ્યારે તેઓ અને સ્વતંત્રરૂપે અલગ અલગ રહે છે, ત્યારે તેઓ બે દ્રવ્યરૂપ થઈ જાય છે. તથા જ્યારે તેઓ હયારુક સ્કન્ધ રૂપે પરિણત થતા નથી, પણ દ્રવ્યાંતર ( અન્ય દ્રવ્ય) ની સાથે સંબંધિત હોય છે, ત્યારે તેઓ બે દ્રવ્યદેશરૂપ માની શકાય છે. તથા જ્યારે તે બે પ્રદેશમાંથી એક પ્રદેશ સ્વતંત્ર રહે છે અને બીજો પ્રદેશ અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તે એવી સ્થિતિમાં) એક દ્રવ્યરૂપ અને બીજે દ્રવ્યદેશરૂપ બની જાય છે. આ રીતે પાંચ વિકલપને અહીં સ્વીકાર કરવામાં આવેલ છે. બાકીના ત્રણ વિકલ્પને અહીં સ્વીકાર કરવામાં આવ્યું નથી, કારણ કે તે ત્રણ વિકપની સંભાવના અહીં અસંભવિત છે તે કારણે સૂત્રકારે કહ્યું છે કે (નો રુદ વરેલા જ, તે દિ ચરલr) એટલે કે છઠ્ઠા, સાતમાં અને આઠમાં વિકલ્પને અહીં અસ્વીકાર કરવામાં આવ્યું છે. છઠ્ઠો વિકલ્પ આ પ્રમાણે છે-“નો વં , રોના ” સાતમો વિકલ્પ આ પ્રમાણે છે-“નો વારં જ વસે ” આઠમો વિક૯પ આ પ્રમાણે છે–નો વારં જ યુવા ” આ વિકલ્પને અસ્વીકાર કરવાનું કારણ આગળ આપી દેવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પદ્રલાસ્તિકાયના બે પ્રદેશ એક જ સમયે દ્રવ્યરૂપ અને દ્રવ્યદેશરૂપ બની જાય એવી વાત સંભવી શકતી નથી કારણ કે પરસ્પર વિરોધી બે ધર્મ યુગપતું એકત્ર સંભવી શકતા નથી. એ જ પ્રમાણે તે બન્ને એક સાથે બે દ્રવ્યરૂપ પણ કાયમ રહે અને એક દ્રવ્યદેશરૂપ પણ બની જાય-એવી વાત પણ સંભવી શકતી નથી, કારણ કે જે તેઓ બે દ્રવ્યરૂપ બની જશે તો તેમનામાં એક દ્રવ્યદેશતા સંભવી શકશે નહીં, અને જે તેમનામાં એક દ્રવ્યદેશતા હશે તે બે દ્રવ્યરૂપતા સંભવી શકશે નહીં. તેથી આ સાતમાં વિકલ્પને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી તેમ સાથે બે દ્રવ્યરૂપ પણ રહે અને બે દ્રવ્યદેશરૂપ પણ રહે. આ વિકલ્પ પણ બની શકતો નથી. હવે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે-( તિ િમતે ! વોઝસ્થિપાલ જિં રૂa, ત્વ રે પુરઝા ) હે ભદન્ત ! પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે એક દ્રવ્યદેશરૂપ છે? અથવા અનેક દ્રવ્યરૂપ છે? કે અનેક દ્રવ્યદેશરૂપ છે? અથવા એક સાથે દ્રવ્યરૂપ પણ છે અને એક દ્રવ્યદેશરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૭ १७८
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy