SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રામે) પરિમડલ સંસ્થાના પરિણામથી લઈને આયત સંસ્થાના પરિણામ પર્યન્તને પાંચ પરિણામ અહીં ગ્રહણ કરવા. ટીકા–આ પહેલાં જીવપરિણામનું પ્રતિપાદન થઈ ગયું. હવે પરિણામનો અધિકાર ચાલુ હોવાથી સૂત્રકાર પુલ પરિણામનું નિરૂપણ કરે છે– ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે – જીવ મરે! પnઢપરિણામે guત્તે?) હે ભદન્ત ! પુલ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે કે-(વવિદે વરાળા ) હે ગૌતમ! પુલ પરિણામના પાંચ પ્રકાર કહ્યા છે. “રંગા” તે પ્રકારો નીચે પ્રમાણે છે-“સન્નાને વણ. પરિણામ, “રરિણામે ” રસપરિણામ, “પરિણામે ' ગંધપરિણામ, “જાણપરિણામે” સ્પર્શ પરિણામ અને “સંપત્તિના” સંસ્થાન પરિણામ. જે પુલ એક વર્ણને પરિત્યાગ કરીને અન્ય વર્ણને પ્રાપ્ત કરે છે, તે પરિણામને વણું પરિણામ કહે છે એ જ પ્રમાણે ગંધ આદિ પરિણામે વિષે પણ સમજવું ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વાળિમેoi મને ! અરવિ guત્તે?” હે ભદન્ત ! વર્ણ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જોય! વં guળ-સંજ્ઞા ) વર્ણ પરિ. ગામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-( શાસ્ત્રલગ્નપરિણામે વાવ સુવિરિણામે) (૧) શ્યામવર્ણ પરિણામ, (૨) નીલવર્ણ પરિણામ, (૩) લાલવર્ણ પરિણામ, (૪) હરિદ્વા (પી) વર્ણ પરિણામ અને (૫) શુકલવર્ણ પરિણામ. " एवं ए ए णं अभिलावेणं गंधपरिणामे दुविहे, रसपरिणामे पंचविहे, फासपरिणामे કવિ” આ વર્ણવિષયક અભિલાપ (પ્રશ્નોત્તર) ના કમથી ગધપરિણામ બે પ્રકારનું કહ્યું છે-(૧) સુરભિગંધ અને (૨) દુરભિગંધ, રસપરિણામનાં નીચે પ્રમાણે પાંચ ભેદ કહ્યા છે તીખો, કડ, કષાયે (તુર), ખાટે અને મધુર. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (સુંવાળું) અને રૂક્ષ (ખડબચડું) ના ભેદથી સ્પર્શ પરિણામના આઠ પ્રકાર કહ્યા છે. - હવે ગૌતમ સ્વામી સંસ્થાના પરિણામના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(સંકાનપરિણામે મેતે ! રવિ પmત્તે?) હે ભદન્ત ! સંસ્થાના પરિણામ કેટલા પ્રકારનું કહ્યું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા” હે ગૌતમ ! સંથાન પરિણામના–આકાર વિશેષ પરિ. ણામ “Gરવિદે –ત્તના” નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-જે આ પ્રમાણે છે. (રિમં સ્ત્રજંટાળાાિમે વાર ચચરંટવરિામે) (૧) પરિમંડલ સંસ્થાન પરિણામ મધ્યમાં શૂન્ય અને વલયના આકારનું-ચૂડીના આકારનું પરિણામ (૨) વૃત્તસંસ્થાન પરિણામ-લાડુના જેવા આકારના પરિણામને વૃત્તસંસ્થાન પરિણામ કહે છે. (૩)ચાસંસ્થાના પરિણામ-શિગડા જેવા આકારના પરિણામને વ્યસ્ત્રસંસ્થાના પરિણામ કહે છે. (૪) ચતુરસસંસ્થાના પરિણામ–ચાર ખૂણાવાળા પરિણામને ચતુરઅસંસ્થાના પરિણામ કહે છે. (૫) આયતસંસ્થાના પરિણામલાકડીના જેવા દીર્ધ (લાંબા) પરિણામને આયત સંસ્થાના પરિણામ કહે છે.સૂ.૩ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૪
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy