SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર–“પા ” હે ગૌતમ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના વિષયમાં હમણાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ સમજવું. એટલે કે ઉત્કૃષ્ટ દર્શનારાધનાની આરાધના કરીને કોઈ જીવ ગૃહીત ભવમાં જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સમસ્ત દુઃખેને અંત કરે છે. કેઈક જીવ એવો પણ હોય છે કે જે બીજે ભવ કરીને-એટલે કે દેવાન્તરિત બીજા ભવમાં સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થાય છે અને સમસ્ત દુબેને અંત કરે છે. કેઈક જીવ એ પણ હોય છે કે જે ઉત્કૃષ્ટ દશનારાધનાનું આરાધન કરીને મધ્યમ ચારિત્રારાધનાના સદૂભાવથી સૌધર્માદિ ક૯પપપન્નક દેવકેમાં ઉત્પન્ન થઈ જાય છે અથવા મધ્યમ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદૂભાવથી ઉત્કૃષ્ટ દર્શનારાધનાનું આરાધન કરીને શૈવેયક આદિ કપાતીત દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ વામીને પ્રશ્ન–(9ોતિર્થ i મંતે ! વત્તાrgi Aત્તા # હિં મવાળે હિં નં રે) હે ભદન્ત ! જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાનું આરાધન કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“વંa” હે ગૌતમ ! આ વિષયમાં પણ જ્ઞાનારાધના પ્રમાણે જ કથન સમજવું. એટલે કે ભલે જ્ઞાનની જઘન્ય પણ આરાધના હોય, પરંતુ ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાનું આરાધન કરીને કેઈક જીવ એજ ગૃહીત ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુખેને અંત કરે છે, ઈત્યાદિ પૂર્વ કથનના જેવું જ કથન અહીં પણ સમજવું. “ના” પરતુ (થેng iાચવ વવવ ઝ) જ્ઞાનારાધના કરતાં ચારિત્રારાધનાના ઉત્કૃષ્ટ આરાધનાના વિષયમાં આ પ્રમાણે વિશેષતા છે. કોઈક ઉત્કૃષ્ટ ચારિવ્યારાધનાવાળે જીવ કલ્પાતીત શ્રેયક આદિ દેવલેકે માં જ ઉત્પન્ન થાય છે. સૌધર્માદિ ક પન્નક દેવલોકમાં ઉત્પન્ન થતું નથી. કારણ કે ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાવાળા જીવમાં સૌધર્માદિ કલ્પપપન્નક દેવલોકમાં ગમનને અભાવ કહ્યો છે. જ્યાં સુધી ચારિત્રારાધનાવાળા જીવને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી તે કલ્પાતીત રૈવેયકમાં અથવા તે અનુત્તરૌપપાતિક દેવોમાં જ ઉત્પન્ન થતા રહે છે. હવે ગૌતમ સ્વામી મધ્યમ આરાધનાની અપેક્ષાએ નીચેના પ્રશ્નો પૂછે છે-(માનિ મં! નારા સારા અહિં મવહિં સિક્સર જાવ i ) હે ભદન્ત ! જીવ મધ્યમ જ્ઞાનારાધનાનું આરાધન કરીને કેટલા ભો કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા! ” હે ગૌતમ ! (અજય વેf भवरगहणेणं सिज्झइ जाव अंत करेइ, तच्चं पुण भवगाहणं नाइकमा ) કઈક જીવ એ હોય છે કે જે મધ્યમ જ્ઞાનારાધનાનું આરાધન કરીને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy