SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વિરમણરૂપ અને દયાન, અધ્યયનરૂપ જે શીલ છે, એ જ અત્યન્ત પ્રશસ્યસ્લાધ્ય છે. કારણ કે એ જ પુરુષાર્થનું સાધક છે. અથવા “શે” નો અર્થ પુરુષાર્થ વિશેષના અભિલા પી દ્વારા સમાશ્રયણીય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક અન્યતીથિકે એવું માને છે કે ક્રિયામાત્રથી જ અભીષ્ટ અર્થની સિદ્ધિ થાય છે. અને સાથે એવું પણ કહે છે કે જ્ઞાનનું કઈ પ્રજન નથી જ્ઞાન દ્વારા અભીષ્ટ અર્થની સિદ્ધિ થતી નથી. કારણ કે જ્ઞાન નિચેષ્ટ રૂપ હોય છે. કહ્યું પણ છે કે-( શિવ શ૪રા ફુવાં, જ્ઞાનં ૭૬ મતન્ ! ચતઃ સ્ત્રી મા મોજજ્ઞો 7 જ્ઞાનાર્ સુuિતો ) “ક્રિયા જ માણસોને ફળદાયક થાય છે, જ્ઞાન ફલદાયક થતું નથી. કારણ કે સ્ત્રી, ભક્ષ્ય અને ભેજનના જ્ઞાનવાળાને તેનું જ્ઞાન માત્ર જ સુખી કરતું નથી. ” તથા-- (जहा खरो चंदण भारवाही भारस्स भागी, न हु चंदणस्स । ___ एवं खु नाणी चरणेण हीणो नाणस्स भागी न हु सोगईए) જેમ ચન્દનને ભારવાહી ગધેડે ચદનના ભારને જ ભાગી થાય છે, ચન્દનને ભાગી થતું નથી, એ જ પ્રમાણે ચારિત્ર-ક્રિયાથી રહિત જ્ઞાની જ્ઞાનનો જ ભાગી થાય છે, સુગતિને ભાગી થતું નથી. આ પ્રકારની માન્યતાને આધારે તેઓ એવી પ્રરૂપણ કરે છે કે શીલ જ શ્રેયસ્કર છે. તથા બીજા અન્યતીથિકે એવું કહે છે કે જ્ઞાન માત્રથી જ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ થાય છે. ક્રિયાથી થતી નથી–પ્રાણાતિપાત વિરમણ આદિરૂપ ચારિત્ર વડે અભીષ્ટ અર્થની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જ્ઞાનરહિત જીવ કિયાશાળી હોય તે પણ તેને ફલસિદ્ધિની પ્રાપ્તિ થતી જોવામાં આવતી નથી કહ્યું પણ છે કે – विज्ञाप्तः फलदा पुसां इत्यादि ।। વિજ્ઞપ્તિ (વિશિષ્ટ જ્ઞાન–મમ્યજ્ઞાન ) જ પુરુષોને ફલદાયી નીવડે છે. જ્ઞાનશૂન્ય ( જ્ઞાનરહિત) ક્રિયા ફલપ્રદ નીવડતી નથી. જે વ્યક્તિ મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરે છે તેને તે ફલમાં વિસંવાદ જ જોવામાં આવે છે, તેથી એવું જ્ઞાન (મિથ્યાજ્ઞાન) ફલપ્રદ નીવડતું નથી. તથા-( પઢમં નાળ તો ચા પર્વ નિp સદવર્તન, અન્ના જ શી ? વા નાહી પાવચં) આ બધાં કથનને લક્ષ્યમાં રાખીને કૃત (શ્રુતજ્ઞાન) ને અન્યતીથિકેએ અત્યન્ત પ્રશસ્ય માન્યું છે. અથવા પુરુષાર્થના હેતુ (કારણ) રૂપ હોવાથી તેને જ આશ્રણય ગયું છે-શીલને નહીં. ત્યારે કેટલાક અન્યતીર્થિકે પરસ્પર નિરપેક્ષ જ્ઞાન અને ક્રિયાને જ અભીષ્ટ અર્થનું સંપાદક ગણે છે. તેમની એવી માન્યતા છે કે ક્રિયા રહિત અથવા ૨માં કિયા ગૌણરૂપ છે એવું જ્ઞાન ફલદાયી નીવડે છે. તથા જે જ્ઞાનરહિત હોય છે અથવા જેમાં જ્ઞાનનું મહત્વ ગૌણ હોય છે એવી ક્રિયા ફલદાયી નીવડે છે. કહ્યું પણ છે કે–વિદ્ધિ નાં પાડ્યું ત્યાર ! શ્રી ભગવતી સૂત્ર : ૭ १९१
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy