SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન–(ભgracવંધે મેતે ! વાંચો જેવા હોદ્દ?) હે ભદન્ત ! આહારક શરીર પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નામ ! ” હે ગૌતમ ! (શ્વધે સમયે, રેસ નgumi બંતોદુત્ત, ૩૪ોલેન વિ તોri ) આહારક શરીર પ્રયોગને સર્વબંધ એક સમય હોય છે, તેને દેશબંધ ઓછામાં ઓછા એક અન્તર્મુહૂર્તને અને વધારેમાં વધારે પણ એક અન્તર્મુહૂર્તને હેય છે. કારણ કે પ્રથમ સમયમાં જ આહારક શરીર પ્રગના સર્વબંધને સદભાવ રહે છે, તેથી તેના સર્વબંધને કાળ એક સમયને કહ્યો છે. દેશબંધને જઘન્ય તથા ઉત્કૃષ્ટકાળ એક અન્તર્મુહૂર્તને જે કહેવામાં આવે છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ઋદ્ધિસંપન્ન છઠ્ઠા ગુણસ્થાનવત સંયત મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ એક અત્તમુહૂર્ત સુધી જ આહારક શરીરથી યુક્ત રહે છે, ત્યારબાદ તે ઔદારિક શરીરને અવશ્ય ગ્રહણ કરી લે છે. આહારક શરીરને અન્તમુહૂર્તના પ્રથમ સમયમાં સર્વબંધ થાય છે અને ઉત્તર સમયમાં દેશબંધ થાય છે. હવે સૂત્રકાર આહારક શરીર પ્રગબંધનું અંતર પ્રકટ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન કરે છે કે – ____आहारगसरीरप्पओगबधतरण भंते ! कालओ केवञ्चिर होइ ?" है ભદન્ત! આહારક શરીર પ્રગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“જો મા હે ગૌતમ ! (સદરવંવંત કડयो अंतोमहत्त, उक्कोसेण' अणतकालं अणताओ उस्सपिणी, ओसप्पिणीओ बालओ. खेतओ अणता लोगा अवडूढ़ पोग्गलपरियट्ट देसूण-एवं देसवंधतरवि ) આહારક શરીરના સર્વબંધનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્તનું હોય છે અને વધારેમાં વધારે અનંતકાળનું હોય છે-તે અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સર્વબંધનું અન્તર લેકપ્રમાણ હોય છે. તેમાં અર્ધ કરતાં થોડું ન્યૂન પુદ્ગલ પરાવર્તન થઈ જાય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–મનુષ્યાહારક શરીર પામેલે જીવ તેના પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે, અન્તર્મુદ્ગત સુધી તે આહારક શરીરમાં રહીને તે ફરીથી ઔદારિક શરીરને ધારણ કરી લે છે, ત્યાં પણ તે અન્તર્મુદ્ર સુધી રહે છે–એટલામાં જે તેને સંશય આદિ દૂર કરવાના કારણભૂત આહારક શરીરની પુનઃ પ્રાપ્તિ થઈ જાય, તે તેને ગ્રહણ કરે છે. ત્યાં તે પ્રથમ સમયમાં તેને સર્વબંધક થાય છે. આ પૂર્વના અને અત્યારના સર્વબંધની વચ્ચે એક અન્તર્મુહૂર્તનું જ અંતર પડી જાય છે. અહીં બે અન્તર્મદને એક માનીને એક અન્તર્મુહૂર્ત કહી દેવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળનું અંતર પડે છે. દેશબંધના અન્તર વિષે પણ એજ પ્રમાણે સમજવું. એટલે કે આહારક શરીરનું દેશબંધાન્તર ઓછામાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy