________________
સમજ. તેમને ઉત્કૃષ્ટ સર્વબંધાન્તર કાળ વનસ્પતિ કાળરૂપ અનંતકાળને સમજ, અને તેમના વૈકિય શરીરને દેશબંધાન્તર કાળ પણ સર્વબંધાન્તર કાળ એટલે જ સમજ.
fટ્રિતિકિવનનિય મજુરાગ ૨ ના વાવા ” જેમ વાયુકાયિકના ક્રિય શરીરને સર્વબંધાન્તર કાળ ઓછામાં ઓછે અંતર્મુહૂર્તને અને વધારેમાં વધારે અનંતકાળને કહ્યો છે, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યો અને મનના વૈકિય શરીર પ્રયોગને સર્વબંધાન્તર કાળ ઓછામાં ઓછા અતહ અને વધારેમાં વધારે અનંતકાળને સમજ. એ જ પ્રમાણે તેમના વકિય શરીર પ્રગનું દેશબંધાન્તર પણ સમજવું.
( असुरकुमार, नागकुमार जाव सहस्सारदेवाणं एएसि जहा रयणप्पभाવિ નેai ) અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ ભવનપતિ દેવો વાનવ્યન્તર દેવે, તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક અને સહસ્ત્રારના દેના વૈક્રિય શરીર પ્રગનું સર્વબંધાન્તર અને દેશ બધાન્તર રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈકિય શરીરના સર્વબંધાન્તરની જેમ ઓછામાં ઓછું ૧૦ હજાર વર્ષ કરતાં એક અંતમુહૂર્ત પ્રમાણ વધારે છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાળરૂપ અનંતકાળનું છે,
હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–કઈ જીવ પૂર્વોક્ત અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્વતને દેવમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાંથી ચવીને કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, વળી ત્યાંથી મરીને ફરીથી ઉપરોકત દેવપર્યાયમાં જ ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થતિમાં પહેલાના વૈક્રિય શરીરના સર્વબંધ અને હવેના વૈકિય શરીરના સર્વબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ દસ હજાર વર્ષ અને એક અંતમુહૂર્ત પ્રમાણ પડી જાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનપતિ કાળરૂપ અનંતકાળનું અંતર પડી જાય છે. એજ પ્રમાણે તેમના વૈકિય શરીરના દેશબંધનું અંતરાલ (અંતર) પણ સમજવું. “ નવ” પરંતુ નારકે કરતાં અહીં નીચે પ્રમાણે વિશેષતા છે –
(सव्वबंधंतरे जस्स जा ठिई जहन्निया सा अंतोमुहुत्तममहिया कायव्वाત્તેિણં તેવ) અહીં જેમની જેટલી જઘન્યસ્થિતિ હોય છે, તે જઘન્યસ્થિતિમાં એક અન્તર્મુહૂર્ત ઉમેરીને તેમના સર્વબંધનું જઘન્ય અંતર કહેવું જોઈએ. બાકીનું સમસ્ત કથન નારકના કથન પ્રમાણે જ સમજવું. જેમકે અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્યન્તને કઈ દેવ ઉત્પત્તિ સમયમાં સર્વબંધ કરીને અને પિતાની જઘન્ય આયુસ્થિતિને ભેળવીને પંચેન્દ્રિય તિર્યકરોમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી રહીને મરણ પામે. મરીને તે એજ પૂર્વોકત દેવેમાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાં તે વિક્રિય શરીરને સર્વબંધક થાય, તે આ સ્થિતિમાં તેના વૈકિય શરીરનું જઘન્ય સર્વબંધાન્તર તેની જઘન્ય સ્થિતિ કરતાં એક અન્તમું પ્રમાણ વધારે આવી જાય છે. ઉત્કૃષ્ટ અંતર જે અનંતકાળનું કહેવામાં આવ્યું છે, તે રત્નપ્રભાના નારકની જેમ જ કહેવામાં આવ્યું છે. અસુરકુમારાદિકની અને વાનવ્યત્તની જઘન્યસ્થિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૯