SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ થાય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે " जीवस्स णं भंते ! रयणप्पभा पुढवि नेरइयत्ते, णो रयणप्पभा नेरइयत्ते, ” હે ભદન્ત ! કેઈ એક જીવ રત્નપ્રભાપૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થયો. હોય, ત્યાંથી મારીને તે રત્નપ્રભા પૃથ્વી સિવાયની કોઈ અન્ય જગ્યાએ ઉત્પન્ન થઈ જાય. અને ત્યાંથી મરીને ફરીથી તે નારક જીવના વક્રિયશરીરનું સર્વબંધાનર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા” હે ગૌતમ! “વધતાં જumi સવાસસારું તોમુહુરમમણિચારૂં, ૩wોળે વળા ” એવી સ્થિતિમાં પહેલી રત્નપ્રભા નામની પૃથ્વીના નારક જીવના વૈક્રિયશરીરને સર્વબંધાતરકાળ ઓછામાં ઓછો ૧૦ હજાર વર્ષ કરતા એક અધિક અન્તમુહૂર્ત પ્રમાણ હોય છે અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ હોય છે, જઘન્ય સર્વબંધાન્તરકાળ ૧૦ હજાર વર્ષ અને એક અંતમુહૂર્તને શા માટે કહ્યો છે. તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે-રત્નપ્રભા નરકમાં નારકનું જન્ય આયુ ૧૦ હજાર વર્ષનું હોય છે. તે કારણે ત્યાં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૧૦ હજાર વર્ષ પ્રમાણ સમજવું જોઈએ. પણ તેમાં એક અન્તર્મુહૂર્તને વધારે બતાવવાનું કારણ નીચે પ્રમાણે છે-જેમ કે કઈ જીવ પહેલાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયો, ત્યાં તે ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક થઈ ગયો. ત્યાર બાદ તે ત્યાં જઘન્યાયુ પ્રમાણ (૧૦ હજાર વર્ષ સુધી) રહ્યો. પછી ત્યાંથી નિકળીને ગર્ભજ પંચેન્દ્રિયતિર્યામાં જન્મ ધારણ કરીને એક અન્તર્મુહૂર્ત પર્યન્ત રહ્યો. ત્યાર બાદ ફરીથી રત્નપ્રભા પૃથ્વીમાં જ નારક રૂપે ઉત્પન્ન થઈ ગયે–ત્યાં ઉત્પત્તિને પ્રથમ સમયે વૈકિયશરીરને સર્વબંધક થઈ ગયે. આ રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ઓછામાં ઓછું ૧૦ વર્ષ અને એક અંતમુહૂર્તનું અતંરાલ (અંતર) પડી જાય છે. હવે ઉત્કૃષ્ટ સર્વગંધાન્તર વનસ્પતિકાળ પ્રમાણ કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવે છે-કેઈ જીવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયા અને ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ વૈકિયશરીરનો સર્વબંધક થઈ ગયે, ત્યાંથી નીકળીને તે અનંત કાળ સુધી વનસ્પતિ આદિકમાં રહ્યો, પુનઃ મરીને જ્યારે તે વૈકિયશરીર પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ઉત્કૃષ્ટ સર્વબંધકાળ વનસ્પતિકાલરૂપ અનંતકાળને થઈ જાય છે. એજ પ્રમાણે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈક્રિયશરીરના દેશબંધનું જઘન્ય અંતર અતંર્મદૂતં પ્રમાણ અને ઉત્કૃષ્ટ અંતર અનન્તકાળનું હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે “હે ભદન્ત ! શરામભાથી લઈને સાતમી તમસ્તમાં પ્રભા પૃથ્વી પર્યન્તના નારકેના વક્રિયશરીરને સર્વબંધાન્તર અને દેશબંધાન્તર કાળ કેટલો હોય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “વાર લદ્દે સરમાણ” પહેલી રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈકિયશરીરને સર્વગંધાન્તર તથા દેશબધાન્તર કાળ જેટલો કહેવામાં આવ્યો છે તેટલું જ સર્વબન્ધાન્તર અને દેશબંધાન્તર કાળ સાતમી પૃથ્વી પર્યન્તના નારકના વૈક્રિયશરીરને સમજવો. અહી સર્વબંધનું જઘન્ય અંતર ૧૦ હજાર વર્ષ કરતાં એક અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy