SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(પુત્રવિરફુચરિત્ર પુછા) હે ભદન્ત ! પૃથિ. વિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર બંધના કાળ કેટલા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા! ” હે ગૌતમ! (સદરે પૂરું समयं, देसब'धे जहण्णेण खुड्डागभवग्गण तिसमयऊण', उक्कोसेण बावीसं વરસારું રમઝાડું) પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીર પ્રગ બંધના સર્વબંધને કાળ એક સમયને છે, અને તેના દેશબંધને કાળ ઓછામાં એ છે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તને હોય છે. અને વધારેમાં વધારે કાળ બાવીસ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પર્યન્તને હોય છે. અહીં દારિક શરીરવાળાને જીવિતકાળ ઓછામાં ઓછો મુલક ભવગ્રહણ પર્યતને કહ્યો છે. એજ વાત “ટોત્રી સારું” ઈત્યાદિ ગાથામાં કહેવામાં આવેલ છે. તે ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે– એક મુહૂર્તમાં ૬૫૫૩૬ સુલક ભવ થાય છે, સૂક્ષ્મ નિગેદની અપેક્ષાએ બાદર નિગેહ, પ્રત્યેક વનસ્પતિ, ચાર સ્થાવર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આદિના ભુલક ભવ કમશઃ મોટા મોટા થતા જાય છે. પિતાની કાય, જાતિ આદિની અપેક્ષાએ નાના ભવને ક્ષુલ્લક ભવ કહે છે. પ્રત્યેક મુહૂર્તમાં ૩૭૭૩. શ્વાસેવાસ થાય છે. આ ૬૫૫૩૬ ને ૩૭૭૩ વડે ભાગવાથી જે ૧૭ ભાગફળ આવે છે, તે એક શ્વાસોચ્છવાસમાં ભુલક ભવગ્રહણનું પરિણામ છે. અને આ ભાગાકારમાં જે ૧૩૯પ વધે છે તે અંશરાશિ છે. એટલે કે એક શ્વાસેવાસમાં ૧૭ સુહલક ભવ થાય છે. જે અંશેના ૩૭૭૩ દ્વારા ૧૭ ક્ષુલ્લક ભવગ્રહણ થાય છે, તે આ શોની શેષ રૂપ જે ૧૩૯૫ છે, તે ૧૮ માં ફલક ભવગ્રહણના પ્રારંભરૂપ હોય છે. જે પૃથ્વીકાયિક જીવ ત્યાં ત્રણવાળા મેથી (વળાંથી) આવ્યો હોય છે, તે ત્રીજા સમયમાં સર્વબંધક હોય છે, અને બાકીના સમયમાં દેશબંધક હોય છે. આ રીતે દેશબંધક થઈને તે મુલક ભવગ્રહણ પર્યન્ત મરતે રહે છે, અને મરીને જ્યારે તે અવિગ્રહ અતિથી ત્યાં આવ્યો હોય છે, ત્યારે જ તે સર્વબંધક હોય છે. આ રીતે જે ત્રણ વિગ્રહ છે, તેમના કરતાં ન્યૂન ક્ષુલ્લક ભવ કહેવાય છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે દેશબંધ જઘન્યની અપેક્ષાએ મુલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યતને હોય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ જે કાળ કહ્યો છે તેનું કારણ તે આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy