________________
આદિ ત્રણ શરીરને ઘાત થઈ શકતો નથી. તેથી તે શરીરની અપેક્ષાએ પાંચમીપ્રાણીતિપાતિકી ક્રિયા સંભવી શકતી નથી.
શંકા- નારક જીવ તો અલકમાં રહે છે અને આહારક શરીરને સદભાવ તે મનુષ્કલેકમાં જ હોય છે. છતાં આપ શા કારણે એવું કહો છો કે આહારક શરીરને કાયવ્યાપાર કરતા નારકે રાણુ ક્રિયાઓવાળા અથવા થાર કિયાઓવાળા હોય છે ? આહા ૨ક શરીરકૃત ક્રિયાઓ તો મનુષ્યલકમાં જ થઈ શકે છે–અલકમાં થતી નથી. તે પછી આધવતી નારક આહારક શરીર જન્ય ક્રિયાઓને કર્તા કેવી રીતે બની શકે?
ઉત્તર- જ્યાં સુધી પૂર્વશરીર છવ નિર્વતિત પરિણામને છોડતો નથી, ત્યાં સુધી તે શરીર નિર્વસ્તક જીવનું જ ગણાય છે. જેવી રીતે પહેલાં કઈ ઘડામાં ઘી ભરવામાં આવતું હાય, પણ હવે તેમાં ઘી રાખવામાં આવતું ન હોય, તો પણ તે ઘડાને ઘીને ઘડેજ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે પૂર્વભવના શરીરને છોડીને નારક પર્યાયમાં ઉત્પન્ન થયેલા નારક પૂર્વ ભવના દેને તે નારકનો દેહજ માની શકાય છે. તેથી અસ્થિ આદિ રૂપ તેને પૂર્વભવનો જે દેહ મનુષ્યલકવત હતો, તે દેહ દ્વારા ત્યારે તેણે જે આહારક શરીરને સ્પર્શ કર્યો હતો અથવા જે આહારક શરીરને પરિતાપિત કર્યું હતું, તે આહારક શરીરને આશ્રિત કરીને તેને ત્રણ ક્રિયાઓવાળા અથવા ચાર ક્રિયાઓ કહેવામાં આવ્યો છે, કારણ કે કાયિકી ક્રિયાને સર્ભાવ હોય ત્યારે બીજી બે ક્રિયાઓને અવશ્ય સભાવ હોય છે. અને જ્યાં પારિતાપનિકી ક્રિયાનો સદૂભાવ હોય છે ત્યાં પહેલી ત્રણ ક્રિયાઓનો સહભાવ પણ અવશ્ય હોય છે. આ પ્રકારના આહારક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપારવાળા નારક જીવને ત્રણ ક્રિયાવાળા અને ચાર ક્રિયાવાળે કહેવામાં આવ્યું છે. એ જ વાત પૂર્વભાવપ્રજ્ઞાપન નયના મતથી સિદ્ધ થાય છે. પૂર્વના ભાવને બતાવનાર નયને પૂર્વભાવ નય કહે છે. પૂર્વ (પૂર્વ ભવમાં) આહારકે શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર કરનાર નારકને આ નયના મતાનુસાર જ ત્રણ મિાઓવાળે અથવા ચાર ક્રિયાઓવાળો કહેવામાં આવ્યો છે. તથા તૈજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ જીમાં જે પરિતાપકતા કહેવામાં આવી છે. તે દારિક આદિ શરીરને આશ્રિત હોવાથી તે તેજસ કામણમાં આવે છે એમ સમજવું; કારણ કે તે બન્ને શરીર સ્વરૂપતઃ કોઈને પણ પરિતાપિત કરી શકતા નથી. અને ભગવાનના કથનમાં શ્રદ્ધા વ્યકત કરતા ગૌતમ સ્વામી કહે છે કે “સેવં મં! રેવં ! જિં' ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપની વાત યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઈ ગયા. તે સૂ૦ ૫ w જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના આઠમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત. ૮-૬
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧૦