SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પરિતાપનિકી ક્રિયા થાય છે અને જયારે તે બીજા અને મારે છે, ત્યારે તેના દ્વારા પ્રાણાતિપાવકી ક્રિયા થાય છે. કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાઓ વચ્ચે અવિનાભાવ-નિત્ય પરસ્પર–સંબંધ હોય છે, કારણકે કાયિકી ક્રિયાના ભાવમાં આધકરણિકી અને પ્રાષિકી ક્રિયાને પણ અવશ્ય સદૂભાવ હોય છે. તેથી એક જીવ ત્રણ ક્રિયાવાળો હોય છે, એમ કહ્યું છે. અવીતરાગ છવ કદી પણ એક ક્રિયાવાળો અથવા બે ક્રિયાવાળે હોઇ શકતો નથી. તે ક્રિયાઓને જે અવિના ભાવ-નિત્ય પરસ્પર સંબંધ પ્રકટ કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે– અવીતરાગ જીવ વડે જ અધિકરણિકી ક્રિયા થાય છે–વીતરાગ જીવ વડે થતી નથી. અવીતરાગ જીવનું જે શરીર છે તે તથાવિધ (તે પ્રકારના) કર્મબંધનું કારણ હોય છે, તેથી કાયક્રિયાને સદ્ભાવ હોય ત્યારે અધિકરણિકી અને પ્રાદેશિકી ક્રિયાઓને અવશ્ય સદ્ભાવ હોય છે કારણકે અવીતરાગની કાયા અધિકરણરૂપ અને પ્રષિ સહિત છે. તેથી અન્ય બે ક્રિયાઓના સદભાવ કમિટી ક્રિયાને સદભાવ હોય છે. પ્રજ્ઞાપનાના બાવીસમાં ક્રિયાપદમાં પણ એવું જ કહ્યું છે–“નક્ષ જે जीवस्स काइया किरिया कज्जइ, तस्स अहिगरणिया किरिया नियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ, तस्स वि काइया किरिया नियमा कज्जा' જે જીવ વડે કાયિકી ક્રિયા થાય છે. તે છવ વડે આધિકરણિકી ક્રિયા પણ નિયમથી જ થાય છે. જે જીવ વડે અધિકાણિકી ક્રિયા થાય છે, તેના વડે કાયિકી ક્રિયા પણ નિયમથી જ થાય છે,' ઇત્યાદિ– તથા પહેલી ત્રણ ક્રિયાઓના સર્ભાવમાં છેલ્લી બે ક્રિયાઓ વિકલ્પ થાય છે. એ જ વાત નીચેના સૂત્રાશમાં પ્રકટ કરે છે- ‘ ણ જે વસ काइया किरिया कज्जइ, तस्स परियावणिया सिय कज्जा, सिय नो ફ' ઈત્યાદિ. આ રીતે કાયવ્યાપાર દ્વારા જયારે જીવ પહેલી ત્રણ કિયાએ જ કરે છે, પણ પરિતાપન અને પ્રાણાતિપાત કરતું નથી, ત્યારે તેને ત્રણ કિયાવાળા જ કહી શકાય છે. જ્યારે તે અવીતરાગ છવ અન્ય જીવોને પરિતાપિત કરે છે, ત્યારે તે ચાર ક્રિયાઓવાળે કહેવાય છે. તથા જ્યારે તે જીવ અન્ય જીવેને મારતા હોય છે, ત્યારે તે પાંચ ક્રિયાઓવાળો હોંય છે, કારણકે એવી પરિસ્થિતિમાં તે છવમાં પહેલી ચાર ક્રિયાઓને પણ અવશ્ય સદભાવ રહે છે. તેથી જ કહ્યું છે કે “ઘર પરિવાવાળા રિયા વકફ, તરસ ઝરવા નિયમાં જ ઇયાદિ. એજ કારણે સૂત્રકારે આ પ્રમાણે કહ્યું છે- “સિય વરિષ, સિય પંચ િરિ ” તથા “હિર પરિણ કયારેક તે ક્રિયા રહિત હોય છે,” આવું જે કહેવામાં આવ્યું છે તે વીતરાગ અવસ્થાને અનુલક્ષીને કહ્યું છે, કારણકે વીતરાગ અવસ્થામાં જીવ આ ક્રિયાઓવાળે હોતા નથી. હવે ગૌતમ સ્વામી નારક છવ વિષે પ્રશ્ન પૂછે છે- ‘ પણ મરે! ગોઢિયાળ $ રિણિ? હે ભદન્ત નારક છવ પાકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કહ્યું ક્રિયાઓવાળો હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જયમા” હે ગૌતમ! સિય તિિિર, વક્રિgિ, સિય પંકિરિ નારક જીવ ક્યારેક ત્રણ ક્રિયાઓવાળા હોય છે, કારેક ચાર ક્રિયાઓ વાળો હોય છે અને કયારેક પાંચ ક્રિયાઓવાળા હોય છે. તેનું તાત્પર્ય એ છે કે- જ્યારે નારક છવ પરકાય ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયને વ્યાપાર કરે છે, ત્યારે તે પૃથ્વીકાય આદિને સ્પર્શ કરે છે, તેને પરિતપિત પણ કરે છે અને તેમને નાશ પણ કરે છે. તેથી દારિક શરીરને આશ્રિત કરીને કયારેક તેને ત્રણ ક્રિયાવાળે, ક્યારેક ચાર ક્રિયાવાળે અને કયારેક પાંચ યિાવાળા કહ્યા છે. નારક જીવ અક્રિય (ક્રિયા રહિત) હેતો નથી. વીતરાગ જીવ જ અક્રિય હોય છે. નારક છવ વીતરાગ અવસ્થાવાળા હાત નથી. તેથી તેમાં (નારક જીવમાં) ક્રિયાઓને સદભાવ અાવ હોય છે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨૦૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy