SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રીતે અસંપ્રાપ્ત (સ્થવિરાની પાસે ન પહોંચેલા નિગ્રંથને અનુલક્ષી ચાર આલાપકે કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે સંપ્રાપ્તને અનુલક્ષીને પણ ચાર આલાપક કહેવા જોઈએ. તેમાંના બે આલાપકે તો ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. ત્યાં પહોંચેલા) નિગ્રંથ વિષેના બીજાં બે આલાપ નીચે પ્રમાણે છે- હે ભદત! તે નિગ્રંથ ત્યાંથી નીકળીને તે સ્થવિરાની પાસે પહોંચી જાય છે, પણ તે આલેચના આદિ કરે તે પહેલાં જે સ્થવિરો કાળ કરી જાય, તો તેને આરાધક કહેવાય કે વિરાધક હે ગૌતમ! નિગ્રંથને આરાધક જ કહી શકાય, વિરાધક કહી શકાય નહીં. હવે ચોથે આલાપક નીચે પ્રમાણે બતાવ્યો છે- તે નિગ્રંથ આલોચના આદિ કરવા નિમિત્ત સ્થવિરેની પાસે જવા રવાના થાય છે અને તેમની પાસે પહોંચતાં જ મરણ પામે છે, તો તેને આરાધક કહેવો કે વિરાધક? હે ગૌતમ? તેને આરાધક કહેવો જોઈએ વિરાધક નહી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ નિષા ૨ વદિશા वियारभूमिवा, विहारभूमिवा निक्खंतेण अन्नयरे अकिचट्ठाणे पडिसेविए' હે ભદન્ત ! બહાર શૌચ આદિની નિવૃત્તિને માટે અથવા ગ્રામ આદિમાં જવાને માટે નીકળેલા કેઈ એક શ્રમણ નિગ્રંથ દ્વારા જે કઈ એક અકૃત્ય સ્થાનનું–અનુચિત કાર્યના આશ્રયભૂત સ્થાનનું–પ્રતિસેવન થઈ જાય અને ત્યાર બાદ “સરસ i gd મારૂ તેના મનમાં તેવી ભાવના થઈ આવે કે હું અહીંજ પહેલાં તે આ અકૃત્યસ્થાનની આલોચના કરી લઉં, પ્રતિક્રમણ કરી લઉં, નિંદા કરી લઉં, ગહ કરી લઉં, તેના અનુબંધનનું છેદન કરી નાખું, પ્રાયશ્ચિત્ત લઈને પાપયંકને દૂર કરી નાખું, ભવિષ્યમાં એવું ન કરવાની પ્રતિજ્ઞા લઉં અને યથાયોગ્ય પ્રાયશ્ચિત રૂપ તપકર્મને સ્વીકાર કરી લઉં, ત્યાર બાદ હું વિરે પાસે જઈને તેની આલોચનો આદિ કરી લઈશ. (અહીં તપકર્મને સ્વીકાર પર્યન્તનું પૂર્વોક્ત કથન ગ્રહણ કરી આ પ્રમાણે વિચાર કરીને તે ત્યાંથી– અત્યસ્થાનેથી સ્થવિરાની પાસે જવાને માટે ઉપડે છે. પણ તે સ્થવિરેની પાસે પહોંચે તે પહેલાં તે તે સ્થાવર મૂક થઈ જાય છે. તો હે ભદન્ત આ પરિસ્થિતિમાં આલોચના આદિ નહી કરી શકનાર તે નિગ્રથને આરાધક ગણી શકાય કે વિરાધક? ઉત્તર:- હે ગૌતમ! એવી પરિસ્થિતિમાં તેને આરાધક જ માની શકાય, વિરાધક નહીં પ્રસ્થ વ પ ર મદ મારાજા માણવા ગાવ નો વિર” અહાર પ્રાપ્તિની ઈચ્છાથી કોઈ ગૃહસ્યને ઘેર ગયેલા શ્રમણનિગ્રંથ વિષે જે પ્રકારના આઠ આલાપક કહેવામાં આવ્યા છે, એવા જ આઠ આલાપક નિહારભૂમિ આદિમાં ગયેલા શ્રમણનિગ્રંથ વિષે પણ કહેવા જોઈએ. એ જ પ્રમાણે વિહારભૂમિ [ગ્રામાદિ ] માં ગયેલા નિઝ થના પણ આઠ આલાપક હોવા જોઈએ. આ રીતે કુલ ૨૪ આલાપ થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “નિરોડા જ જામणुगामं दुइज्जमाणेणं अनयरे अकिच्चट्ठाणे पडिसेविए, सस्स एवं भवइ, રુવ તાર ગાં' ઇત્યાદિ. એક ગામથી બીજે ગામ વિહાર કરતાં શ્રમણનિય દ્વારા શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૯ ૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy