SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે અસંયતને પ્રાસુક, અપ્રાસુક દ્રવ્યોનું દાન કરવાથી પાપકર્મ બાંધવા રૂ૫ ફળ મળે છે તથા પાપકર્મની નિર્જરા તો થતી જ નથી. કારણકે તે બન્ને દ્વારા અસંયમ અવસ્થાને જ પુષ્ટિ મળે છે. તેથી તે બન્નેને સમાન જ ગયા છે. અહીં કેઇ એવી શંકા કરે કે પ્રાસુક આદિ આહારમાં જીવના પ્રાણાતિપાતનો અભાવ હોય છે, પણ અપ્રાસુક આદિ આહારમાં જીવન પ્રાણાતિપાતને સદ્ભાવ હોય છે, છતાં એ બન્નેને સમાન કેવી રીતે માની શકાય ? તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય- પાપકર્મની નિર્જરાને અભાવ અગુણવન્તમાં અસંયતમાં] તે બન્ને વડે થતો નથી એવું જ પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે અને તેને અનુલક્ષીને અહીં બન્નેમાં સમાનતા બતાવી છે. આ કથનને ભાવાર્થ એ છે કે અસંયત જીવને પ્રાસુકઆહાર મળે કે અપ્રાસુક અહાર મળે ભલે ગમે તે પ્રકારના આહારનું દાન કરવામાં આવે પણ તેના દ્વારા તેના અસંયમજન્ય પાપકર્મની નિર્જરા થતી નથી. અસંયમી જીવેને જે આહાર દેવામાં આવે છે તે પિતાના ગુરુ માનીને અથવા ધર્મબુદ્ધિથી સમજણપૂર્વક અપાતો નથી, પણ અનુકંપાને લીધે અપાય છે. અહીં એવા આહારનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. અહીં તે કર્મનિર્જરાના હતરૂપ આહારની પ્રરૂપણ કરવામાં આવી છે. અને કર્મનિર્જરાના હેતુ૫ તે એજ આહાર ગણી શકાય છે કે જે સુપાત્રને આપવામાં આવે છે. સુપાત્ર એને જ કહે છે કે મેક્ષને માર્ગે આગળ વધતા હોય છે. એવા સુપાત્રને આપવામાં આવેલ આહાર દાતાના કર્મોની નિજેરાના કારણરૂપ બને છે. કર્મોની નિજ રા થવાથી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી જ સૂત્રકારે અહીં ‘મલાવવા તથૈવ કપ જીતમ તુલનાત્ત અagi = શ્રત એક્ષપ્રાપ્તિ અર્થે ઉપયોગી એવા દાનની પ્રરૂપણ કરી છેઅનુકંપાદાન આદિની પ્રરૂપણ કરી નથી. તેને મોક્ષપ્રાપ્તિ કરાવનારું ન કહેવાનું કારણ એ છે કે તેમાં સંવરપૂર્વક કર્મોની નિર્જરા થતી નથી. અનુકંપાદન આદિ તે અનુકંપા દાન આદિમાં ઔચિત્યની જ દૃષ્ટિ રહે છે. કહ્યું પણ છે કે 'मोक्खत्थं जं दाणं पइ एसो विही समक्खाओ । अणुकंपा दाणं पुण जिणेहि न कयाइ पडिसिद्धम् ॥ १॥" મેક્ષ પ્રાપ્તિને માટે જે દાન છે તે દાનનું અહીં સ્વરૂપ બતાવ્યું છે. અહીં અનુકંપાથી કરાયેલા દાનની વાત કરવામાં આવી નથી. પરંતુ જિનેશ્વર ભગવાને અનુકંપાથી દાન દેવાને નિષેધ કદી કર્યો નથી. તેથી અનુકંપાથી દાન દેવું જોઇએ. સૂ ના નિર્ચન્દકે દાનધર્મ કાનિરૂપણ નિગ્રંથ દાન ધર્મ વકતવ્યતાનિર્થ = i જાદવ પિંડવીયાણ' ઇત્યાદિ સ્વાર્થ:- (નિશું જ જાવરું પિંડવાહિયા ગguદ જે કોઈ પિંઉં કવનિમંતેT). ગૃહસ્થને ઘેર આહાર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી પધારેલા નિર્મથને કઈ ગૃહસ્થ બે પિંડે ગ્રહણ કરવાને માટે ઉપનિમંત્રણ કરે અને કહે કે (gi ચારણો ! સુગાદિ ાં થા વસ્ત્રાદિ) હૈ આયુષ્યન! એક પિંડ તમે ખાજે અને બીજે પિડ સ્થવિરેને આપજે. (તે જ ૪ હિં વહિવઝા થાય છે ગgવેસિયવ્ય સિયા) ત્યાર બાદ તે નિર્ગથ તે બન્ને પિંડેને લઈ લે છે અને તે સ્થવિરેની શોધ કરે છે, શ્રી ભગવતી સૂત્ર : ૬ १८७
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy