SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સુધી તેના દ્વારા સ્કૂલમૃષાવાદના પ્રત્યાખ્યાન થઇ શકતા નથી–એટલે કે શ્રાવકને જ્યાં સુધી સમ્યક્દર્શન થાય નહીં ત્યાં સુધીના તેના પ્રત્યાખ્યાન સાચાં મનાતાં નથી પણ મિથાચરિત્રરૂપ મનાય છે. પણ જ્યારે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેણે કરેલાં પ્રત્યાખ્યાન સમ્યકત્વમૂલક હોવાથી સાચાં મનાય છે. તે i મતે પછી પથારૂવવમાને ?' આ નિયમને અનુલક્ષીને ગૌતમ સ્વામી પ્રભુને એવો પ્રશ્ન કરે છે કે શ્રમણે પાસક શ્રાવક મૃષાવાદની વિરતિના સમયમાં મૃષાવાદના પ્રત્યાખ્યાન કરે ત્યારે શું કરે છે? ઉત્તર- ‘વંગ રૂવાયરસ યારું સંપકૅ મળિયાં સદા પુસવાયસ ત્તિ માણસનું ? હે ગૌતમ ! જેવી રીતે ત્રણ કાળની અપેક્ષાએ પ્રાણાતિપાતના ૧૪૭ ભંગ કહા છે (ભૂતકાળની અપેક્ષાએ ૪૯ ભંગ તે અને વર્તમાનની અપેક્ષાએ ૪૯ ભંગ તે ભવિષ્યની અપેક્ષાએ ૪૯ ભંગ) એજ પ્રમાણે મૃષાવાદના પણું ૧૪૭ ભંગ કહેવા જોઈએ. એટલે કે સમ્યકત્વની પ્રાપ્તિ બાદ શ્રમણોપાસક શ્રાવક દેશવિરતિવાળો બનીને સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રતિકમણ, સંવર અને પ્રત્યાખ્યાન કરે છે. આ વિષયને અનુલક્ષીને પહેલાં જેવાં ૧૪૭ ભંગ બતાવવામાં આવ્યા છે, એવાં જ ૧૪૭ ભંગ અહીં પણ સમજવા. ભૂતકાલિક મૃષાવાદના પ્રતિકમણ વિષયક ૪૯ ભંગ, વર્તમાનકાલિક સ્કૂલ મૃષાવાદના સંવરના ૪૯ ભંગ અને ભવિષ્યકાલિન સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાનના ૬૯ ભંગ મળીને તેના કુલ ૧૪૭ ભંગ સમજવા. ભૂતકાળને મૃષાવાદનું પ્રતિક્રમણ કરતે તે શ્રાવક ત્રિવિધ મૃષાવાદનું પ્રતિકમણ ત્રિવિધ પણ કરે છે. દ્વિવિધ પણ કરે છે. અને એકવિધે પણ કરે છે. દ્વિવિધ મૃષાવાદનું પ્રતિકમણ ત્રિવિધ પણ કરે છે, દ્વિવિધ પણ કરે છે અને એકવિધે પણ કરે છે. ઇત્યાદિ સમસ્ત કથન પ્રાણાતિપાતના પ્રતિક્રમણના પ્રકરણની જેમ અહીં સમજી લેવું. આ રીતે સ્થૂલમૃષાવાદનું પ્રતિક્રમણ કરવા વિષેના ૪૯ ભંગ બની જશે, વર્તમાનકાલિક ધૂલમૃષાવાદના સંવર વિશેના ૪૯ ભંગ બનશે અને ભવિષ્યકાલિન સ્થામૃષાવાદના કુલ ૧૪૭ ભંગ બને છે. ‘પવું અનિવાસ ર, પર્વ શ્રાક્ષ मेहुणस्स बि, थूलगस्स परिग्गहस्स वि, जाव अहवा करें तं गाणुजाणइ कायसा' એજ પ્રમાણે સ્થૂલ અદત્તાદાનના પણ ૧૪૭ ભંગ થાય છે, મૈથુનના પણ ૧૪૭ ભંગ થાય છે, અને સ્થૂલ પરિગ્રહના પણ ૧૪૭ ભંગ થાય છે. “વિવિધતું ત્રિવિધ પ્રતિક્રમણ કરતો તે શ્રાવક મન, વચન અને કાયાથી પ્રાણાતિપાત કરતું નથી, કરાવતું નથી અને કરનારની અનુમોદના કરતો નથી', આ પહેલા ભંગથી શરૂ કરીમ “ અથવા એકવિધ પ્રાણાતિપાતનું એકવિધ પ્રતિક્રમણ કરતા તે શ્રાવક કાયાથી પ્રાણાતિપાત કરનારની અનુમોદના કરતા નથી', આ છેલ્લા (૪૯) ભંગ સુધીનું કથન, સ્થૂલ અદત્તાદાન આદિ વિષે પણ સમજવું. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના ૪૯૯૪૪૪૯ ભંગ = ૧૪૭ ભંગ થાય છે એમ સમજવું. શંકા- મનથી કરવું, કરાવવું અને અનુમોદના કરવી, એ કેવી રીતે સંભવી શકે છે? ઉત્તર- જેવી રીતે વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરવાનું, કરાવવાનું અને શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૭૯
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy