SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે પણ કરી શકાય છે. અતીતકાળમાં મન આદિ દ્વારા કરવામાં આવેલ, કરાવવામાં આવેલ અને અનુદિત કરેલ પ્રાણાતિપાત હવે તે પ્રમાણે પાસક શ્રાવક અનુક્રમે કરતો નથી, કરાવતું નથી અને તેની અનુમોદના કરતું નથી. કારણ કે મિથ્યાત્વયુકત અવિરતિ દશામાં તે આ પ્રાણાતિપાતની નિન્દા કરીને તેની અનુમોદના કરવાનો ત્યાગી થતું નથી, પરંતુ સમ્યકત્વ યુક્ત દેશવિરતિથી યુકત બન્યા બાદ તે તેની નિન્દા કરીને તેની અનુમોદના કરવાને ત્યાગ કરે છે તે કારણે તે પ્રાણાતિપાત કરતા, કરાવત અને અનુમોદને અટકી જાય છે, જે તે તેની નિન્દા ન કરે તે હેય તે એવી પરિસ્થિતિમાં તે તેની અનુમોદના કરતા હોય એવું પણ માની શકાય છે. તેથી પૂર્વે (ભૂતકાળર્મા) કરવામાં આવેલ, કરાવવામાં આવેલ અને અનુમોદવામાં આવેલ પ્રાણુતિપાત જાણે કે વર્તમાનમાં કરાતું, કરાવાતું અને અનુદાતું હોય એવું બની જાય છે. વર્તમાનકાળને અનુલક્ષીને કરણાદિની યેજના સરળ છે. ભવિષ્યકાળની અપેક્ષાએ તેજના આ પ્રમાણે સમજવી– “ નિ જનક તે મનથી પ્રાણાતિપાત કરતે નથી એટલે કે તે એ વિચાર કરતા નથી કે હું તેને ભવિષ્યમાં મારીશ “જારવત્તિ અને તે મનમાં એ વિચાર પણ કરતું નથી કે હું તેને ભવિષ્યમાં કઈ બીજા પાસે માર ખવરાવીશ. નોકત્તિ તથા ભાવી વધને મનમાં વિચાર કરીને તે મનમાં ખુશી પણ થતું નથી એ જ પ્રમાણે તે એવાં વચન પણ બોલતા નથી કે હું તેને મારીશ તે વચનથી બીજાને એવું કહેતા નથી કે તું આને મારજે. તથા ભાવી વધને વિચાર કરીને તે એવાં વચનો પણ બોલતે નથી કે તે મરી જાય તે ઘણું સારું થાય. કાય સંબંધી કૃત, કારિત અને અનુમોદનાના વિષયમાં પણ ભવિષ્યકાળની અપેક્ષાએ એવું જ થન સમજવું. એટલે કે ભવિષ્યકાળ સંબંધી કેઈના વધને વિચાર કરીને તે કાયાની એવી ક્રિયા કરતું નથી કે હું તેને આ રીતે હાથથી મારીશ કે આ રીતે લાકડી આદિથી મારીશ, અથવા બીજી વ્યકિત પાસે આ રીતે હાથથી કે લાકડી આદિથી તેને માર ખવરાવીશ, અથવા ભાવી વધનો વિચાર કરીને તાળી આદિ વગાડીને તે કાયાથી તેની અનુમોદના કરતા નથી અથવા આ રીતે ભવિષ્યકાળમાં મન આદિ દ્વારા પિતાની જાતે કરવામાં આવનાર, બીજા દ્વારા કરાવવામાં આવનાર, અનુ અનુમોદના દ્વારા કરવાકરાવવામાં આવનાર પ્રાણાતિપાતને તે પોતે જ ઉત્ત’ ત્યાગ કરે છે, “ જાતિ બીજા પાસે પ્રાણાતિપાત કરાવવાને ત્યાગ કરે છે અને ન ચાવવાનાત્તિ પ્રાણાતિપાતની અનુમોદના કરવાને પણ ત્યાગ કરે છે. એટલે કે તેનાથી નિવૃત્ત થઈ જાય છે આ ત્રણે યોગના ૪૯૪૯૪૯ ભંગને સરવાળે કરવાથી કુલ ૧૪૭ ભંગ બને છે. હવે સૂત્રકાર આ અંગેનું વધુ સ્પષ્ટીકરણ કરવા માટે કહે છે કે'तिविहं दुविहेणं पडिक्कममाणे न करेइ,न कारवेइ करें तं नाणुजाणइ मणसा वयसार' ત્રિવિધ પ્રાણાતિપાત (ત્રણ પ્રકારના કારણે દ્વારા કરાયેલાં પ્રાણાતિપાત) નું બે પ્રકારે પ્રતિક્રમણ કરે તે પ્રમાણે પસક શ્રાવક (દેશવિરતિયુક્ત થવાથી નિન્દા દ્વારા તેને ત્યાગ કરતે શ્રાવક) મનથી અને વચનથી પ્રાણાતિપાત કરતા નથી, કરાવતા નથી અને પ્રાણાતિપાતના અનુમોદના પણ કરતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યારે તે શ્રાવક ત્રિવિધ તકરણ, કારણ અને અનુમોદન પ્રકારવાળા) પ્રાણાતિપાતનું બે પ્રકારે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૭ ૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy