SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં એવો વિચાર પણ કરતો નથી કે મેં તે વખતે બીજા પાસે તેને માર ખવરાળે નહીં તે ઠીક ન કર્યું. વળી તે પોતાના મનથી એની અનુમોદના પણ કરતો નથી કે ત્યારે ભૂતકાળમાં અમુક વ્યકિતએ જે પ્રાણાતિપાતની ક્રિયા કરી હતી અથવા અમુકે તેના દ્વારા જે પ્રાણાતિપાત ક્રિયા કરાવી હતી, તે તેણે તે સમયે યોગ્ય જ કર્યું હતું.’ આ રીતે અહીં મનથી કત, કારિત અને અનુમોદનાને ત્યાગ કરવામાં આવ્યો છે. એટલે કે અતીતકાળમાં (ભૂતકાળમાં) તે જાતે મનથી પ્રાણાતિપાત કરાવવાનું પ્રતિક્રમણ કરે છે, મનથી પ્રાણાતિપાત કરાવવાનું પ્રતિક્રમણ કરે છે અને મનથી પ્રાણાતિપાત કરનાર – કરાવનારની અનુમોદના કરવાનું પ્રતિક્રમણ કરે છે. એ જ પ્રમાણે તે વચનથી ભૂતકાળ સંબંધી પ્રાણાતિપાત કરતા નથી, વચનથી ભૂતકાળ સંબંધી પ્રાણાતિપાત બીજા પાસે કરાવતો નથી અને ભૂતકાળમાં અન્ય દ્વારા કરાયેલા અથવા કરાવવામાં આવેલાં પ્રાણાતિપાતની તે વચનથી અનુમોદના કરતું નથી. એટલે કે તે વચનથી એવું કહેતા નથી કે “મેં તે વખતે મને મારનારને માર્યો નહી, તે ઠીક ન કર્યું. તેને બીજા પાસે માર ખવરાવ્યો નહીં તે ખોટું કર્યું. અમુક માણસે તેને મા અથવા બીજા પાસે માર ખવરાવ્યું તે સારું થયું આ રીતે તે વચન દ્વારા પ્રાણાતિપાત સંબંધી કૃત, કારિત અને અનુમોદના કરવાને અતીતકાળમાં ત્યાગ કરે છે. આ પ્રમાણે પ્રાણાતિપાતનો ત્યાગ કરવાનું કારણ એ છે કે તે શ્રમણોપાસક (શ્રાવક) પિતાના વચનથી કરવામાં આવેલાં, કરાવવામાં આવેલાં અને અનુમાદિત કરાયેલાં પ્રાણાતિપાતની નિન્દા કરતો કરતો તેનાથી દૂર થઈ જાય છે. એજ પ્રમાણે ભૂતકાળમાં પોતાના શરીરથી કરાયેલા, અથવા પોતાના શરીરના સંકેત વગેરે દ્વારા કરાવવામાં આવેલા, અથવા તાળી વગેરે વગાડીને અનમેદિત કરાયેલા પ્રાણાતિપાતની નિન્દા કરીને તેનાથી મુક્ત થઈ જાય છે. તેથી આ દેશવિરતિ ધારણ કર્યા બાદ તે પિતે અતીતકાળ સંબંધી પ્રાણાતિપાત કરતો નથી, કરાવતો નથી અને કરનારની અનુમોદના કરતો નથી. અહીં “મનથી કરતો નથી, વચનથી કરાવતો નથી કાયાથી અનુમોદના કરતું નથી,” આ પ્રકારના ક્રમાનુસાર ત્રિગે (મન, વચન અને કાયના ત્રણ વાગે) ની સાથે કૃત, કારિત અને અનુમોદનાનો સંબંધ જોડવામાં આવ્યું નથી, કારણ કે જેટલું કથન કરવામાં આવે છે તે વક્તાના વિવક્ષાને આધીન થયા કરે છે. તથા એ પ્રમાણેને ક્રમ અહીં અનુસરવાથી નીચે દર્શાવવામાં આવેલા વિકલ્પનું કથન પણ સંભવી શકતું નથી. ત્રિવિધ ત્રિવિધેન આ પહેલા વિકલ્પમાં એક જ ભંગ છે. નીચે જેનું વિવેચન કરવામાં આવ્યું છે તે બીજા, ત્રીજા અને ચોથા વિકલ્પમાં ત્રણ ત્રણ ભંગ છે. પાંચમાં અને છઠા વિકમાં નવ-નવ ભંગ છે. સાતમા વિકપમાં ત્રણ ભંગ, આઠમાં અને નવમાં વિકલપમાં નવ નવભંગે છે. આ રીતે કુલ ૪૯ ભંગ થાય છે. અતીતકાળની અપેક્ષાએ આ કરણ, કારણ અને અનુમોદનાની યેજના કરવામાં આવી છે. એટલે કે અતીતકાળમાં મન, વચન અને કાયા દ્વારા જે પ્રાણાતિપાત કર્યું હોય, કરાવ્યું હોય કે જે પ્રાણાતિપાતની અનુમોદના કરવામાં આવી હોય, તેનું શ્રમણોપાસક શ્રાવક ૪૯ વિકલ્પ દ્વારા પ્રતિક્રમણ કરે છે. અથવા આ કરણાદિ યોજના શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૭૨
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy